હિન્દૂ ધર્મમાં ઘરમાં બનેલ મંદિરનું વિશેષ મહત્વ રહેલું છે. ઘર એકમાત્ર એવી ખાસ જગ્યા છે જ્યાં સૌથી વધારે સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે. તો ચાલો અમે આપને આજે ઘરમાં કેવું પૂજા ઘર હોવું જોઇએ તેના વિશે જણાવીશું.
વાસ્તુશાસ્ત્ર અનુસાર ક્યારેય પૂજા ઘર ઘરની દક્ષિણ દિશા તરફ બનાવવું જોઇએ નહીં. એવું માનવામાં આવી રહ્યું છે કે દક્ષિણ દિશામાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધારે પ્રમાણમાં હોય છે. જેની સીધી અસર પરિવાર પર પડે છે.
જે લોકો પોતાના ઘરમાં પૂજાનું સ્થાન બેઝમેંટ સીડીની નીચે અથવા રસોઇની ઉપર બનાવે તેમને પૂજાનો પુરો લાભ મળતો નથી. આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઇએ કે પૂજા ઘરમાં ભગવાનના ફોટો સિવાય કોઇ ગુરૂ અથવા પૂર્વજની તસવીર ના હોવી જોઇએ. પૂજા ઘર પર એક ભગવાનની એક જ તસ્વીર હોવી જોઇએ.
પૂર્વજોની તસવીરને હંમેશા પોતાના ઘરની દક્ષિણ દિશાની દિવાલ પર લટકાવવી જોઇએ. પૂજાની દિવાલ અન્ય કોઇ દિવાલ સાથે મળતી ના હોય તેવી જ હોવી જોઇએ.
આપને જણાવી દઇએ કે વાસ્તુ શાસ્ત્ર અનુસાર પૂજા ઘરને બેડરૂમમાં ભૂલથી પણ ના રાખવું જોઇએ. તેને અશુભ માનવામાં આવે છે. પૂજાઘરની ઉપર કોઇપણ ચીજ વસ્તુ ના રાખવી જોઇએ અથવા અન્ય કબાટ પણ ના રાખવો જોઇએ. દીવાલથી ભગવાનની મૂર્તિને થોડી દૂર રાખવી જોઇએ.