જીવનમાં પોતાનું ઘર બનાવવાની દરેક વ્યક્તિની ચાહત હોય છે, મહેનત કરીને ઘર બનાવો પરંતુ કંકાસ રહ્યાં કરે તો શું કરશો?
વાસ્તુ પ્રમાણે ઘર બનાવશો તો રહેશે શાંતિ
અશાંતિનું રાઝ તમારા ઘરમાં જ છુપાયુ છે
મકાન લેતા પહેલા આ વાતોનું રાખો ધ્યાન
કેટલાક લોકો માટે નવું ઘર ખુશીઓની જગ્યાએ મુસીબત લઇને આવે છે. તેઓ સમજી પણ શકતાં નથી કે આવું તેમની સાથે કેમ થઇ રહ્યું છે પરંતુ દરેક પ્રશ્નના જવાબ વાસ્તુમાં તમને મળી જશે.
ઘરમાં જ છુપાયુ છે અશાંતિનું રાઝ
વાસ્તુ અનુસાર ઘરમાં થનારી અશાંતિનું રાઝ જમીનમાં જ છુપાયુ હોય છે જેના પર તમારું ઘર બન્યું છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમારા ઘરમાં શાંતિ નથી તો બધુ બેકાર છે. જ્યારે પણ તમે ફ્લેટ કે પ્લોટ ખરીદવા જાઓ તો તે મકાન વિશે જાણકારી મેળવી લેવી જોઇએ બાદમાં જ તમારે તમારું ઘર બનાવવું જોઇએ.
જમીન ક્યા કામમાં વપરાતી હતી
વાસ્તુ શાસ્ત્ર અનુસાર જે જમીન પર તમારું ઘર છે તે ક્યા કામ માટે વપરાતી હતી, તે જમીન પર પહેલા કોઇ સ્મશાન કે કબ્રસ્તાન તો નહોતું. જો આવું હશે તો નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં હશે અને તે દરેક કામ બગાડી દેશે.
મકાન બનાવતી વખતે રાખો વાસ્તુનુ ધ્યાન
જ્યારે પણ તમે મકાન બનાવો છો તો વાસ્તુનું ધ્યાન ચોક્કસ રાખો કારણકે તેમાં પ્રોબ્લેમ થશે તો તમારા જીવનમાં તકલીફ થઇ જશે. તે માટે કેટલાક ઉપાય છે તે પણ અપનાવવા જોઇએ.
ફટકડીને સ્વાસ્થ્યનો ખજાનો માનવામાં આવે છે. માત્ર થોડી ફટકડીના ઉપયોગથી ઘણા રોગો મટી શકે છે. તેવી જ રીતે ફટકડીના ઉપયોગથી ઘરમાંથી નેગેટીવીટી દૂર કરી શકાય છે. કેટલાક પગલા લેવાથી ઘરમાં થતો કંકાસ દૂર થઇ જશે.
જે લોકોના ઘરમાં વારંવાર લડત અથવા તણાવનું વાતાવરણ હોય તો એક બાઉલની અંદર ફટકડી ભરી તેને ઘરના કોઇ પણ ખૂણામાં મૂકી દો. જેથી તણાવનું વાતાવરણ સમાપ્ત થશે. ઘરના વડીલના પલંગ નીચે એક લોટોમાં પાણી ભરો અને આ પાણીમાં થોડી ફટકડી નાંખો જેથી ઘરમાં શાંતિ આવશે અને પારિવારિક તકરાર દૂર થશે.
વ્યાપારમાં થશે ફાયદો
વ્યવસાયમાં પ્રગતિ મેળવવા માટે ફટકડીથી સંબંધિત ઉપાયો કરવા જોઇએ. લાલ રંગના કપડામાં થોડી ફટકડી બાંધો અને કાપડને વ્યવસાયના કોઇ પણ ખૂણામાંમૂકી દો જેથી સમસ્યાઓ દૂર થઇ જશે.
વાસ્તુ દોષ દૂર
જો ઘરમાં વાસ્તુ દોષ હોય તો તમે 50 ગ્રામ ફટકડીને બાઉલમાં નાંખો અને ઘરની પૂજામાં તે રાખો, આ પગલા લેવાથી ઘરનો વાસ્તુદોષ દૂર થઇ જશે.