લોકો પોતાના ઘરની સજાવટ માટે અલગ અલગ તરકીબો અપનાવે છે. કેટલાક લોકો પોતાના ઘર અને રૂમમાં તસવીરો લગાવીને સજાવટ કરે છે પરંતુ ઘર કે રૂમમાં તસવીર લગાવતી વખતે વાસ્તુ શાસ્ત્રને ધ્યાનમાં રાખો. કારણકે તસવીરો પણ આપણા જીવન પર ખુબ જ પ્રભાવ પાડે છે.
તસવીર લગાવતા પહેલા રાખો ધ્યાન
વાસ્તુના કારણે થઇ શકે ઝઘડા
તૂટેલી વસ્તુઓને ઝડપથી ફેંકી દો
આ 6 વસ્તુઓને કરો ઘરની બહાર
ઘરમાં જો કોઇ જગ્યાએ એવી તસવીર લાગેલી છે જેમાં ફુવારો કે પાણી વહી રહ્યું હોય તેવું હોય તે તેને તાત્કાલિક ઘરની બહાર કરી દો. એવી માન્યતા છે કે જો ઘરમાં આ પ્રકારની તસવીર હોય તો ઘરના પૈસા વ્યર્થ કામમાં વપરાય જાય છે.
વાસ્તુના હિસાબથી ઘરમાં ડૂબતી નાવડી કે વમળમાં ફસેલી નાવડીવાળી તસવીર ન રાખવી જોઇએ. આ પ્રકારની તસવીર ઘરના સભ્યો પર નકારાત્મક અસર પાડે છે. એવુ માનવામાં આવે છે કે આ પ્રકારની તસવીર ભાગ્યના આડે આવે છે.
મહાભારતના યુદ્ધ સંબંધિત કોઇ પણ પ્રકારની તસવીર ઘરમાં હોય તો તેને તાત્કાલિકપણે ઘરમાંથી દૂર કરી દો. એવું માનવામાં આવે છે તે તેવી કોઇ તસવીર હોવાને કારણે ઘરના સભ્યોનો સ્વભાવ આક્રમક થઇ જાય છે.
ઘરની પૂજામાં ક્યારેય પણ જૂના ફળ ન રાખવા જોઇએ. જૂના ફૂલ લક્ષ્મીજીને પસંદ નથી. જો તમે આવું કરશો તો તમારા ઘરમાથી લક્ષ્મીનો નાશ થશે.
ઘરનો દરવાજો તૂટી ગયો હોય કે પછી તેમાંથી અવાજ આવતો હોય તો તેને ઠીક કરાવી લો કારણકે આ પ્રકારના દરવાજા સંકેત આપે છે કે ઘરમાં લડાઇ ઝઘડા થશે.
ઘરમાં તૂટેલા રમકડા પણ ન રાખવા જોઇએ, તૂટેલી ક્રોકરી પણ ન રાખવી જોઇએ. આ પ્રકારની વસ્તુઓ હેલ્થને નુકસાન પહોંચાડે છે. પૈસાનો પણ અપવ્યય વધે છે.