નવું વર્ષ શરૂ થવામાં હવે થોડા જ દિવસ બાકી છે ત્યારે દરેક લોકોને 2021ની રાહ છે. નવા વર્ષને ખાસ બનાવવા માટે લોકોએ અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. નવા વર્ષનું સ્વાગત કરવા માટે લોકોએ ઘરને સજાવી દીધુ છે પરંતુ જો તમે ઘર ડેકોરેટ કરવાનું પ્લાન કરી રહ્યાં હોવ તો વાસ્તુ શાસ્ત્રનું ખાસ ધ્યાન રાખશો.
નવા વર્ષમાં અપનાવો આ ટિપ્સ
ઘરમાં લીલોતરી લગાવવી લાભકારક
મેઇન ગેટ પાસે ન રાખો ડસ્ટબિન
આ કલરથી રંગાવો ઘર
નવા વર્ષનું સ્વાગત કરવા માટે સૌથી પહેલા પોતાના ઘરની સફાઇ કરો. ઘરની સફાઇ કરતી વખતે કિનારો અને ખૂણાને સરખી રીતે સાફ કરો. જો તમે ઘણા સમયથી કલર નથી કરાવ્યો તો દિવાલોને પેઇન્ટ કરાવજાવો. વાસ્તુ અનુસાર બ્રાઇટ કલર કરાવવાથી સકારાત્મક ઉર્જા આવે છે.
મેઇનગેટને આ રીતે સજાવો
નવા વર્ષના સ્વાગત માટે મેઇન ગેટને સારી રીતે સજાવવું જરૂરી છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર મેઇન ગેટ સામે ખાડો કે ગંદકી હોવી અશુભ માનવામાં આવે છે. ક્યારેય ઘરના મેઇનગેટ પર ડસ્ટબિન ન રાખવી જોઇએ.
બંધ પડેલી ઘડિયાળ
જો તમારા ઘરમાં કોઇ ઘડિયાળ બંધ છે તો તેને ઠીક કરાવી લેવી જોઇએ અથવા તો તેનો નિકાલ કરી દેવો જોઇએ. સાથે જ ટૂટેલી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પણ કાઢી દેવી જોઇએ.
લીલોતરી
ઘરની સાજ સજાવટમાં લીલોતરીનો ઘરમાં વધારો કરો. વાસ્તુ શાસ્ત્ર અનુસાર આવું કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે.
ટૂટેલા વાસણોનો કરો નિકાલ
નવા વર્ષમાં ટૂટેલા વાસણોનો નિકાલ કરી દેવો જોઇએ, રસોડામાં ટૂટેલા વાસણો રાખવાથી ઘરમાં બરકત નથી આવતી.