કહેવાય છે ને કે, માતા લક્ષ્મી ખુશ થાય છે ત્યારે રૂપિયાનો વરસાદ કરે છે પણ રિસાઇ જાય છે તો તમારા ઘરમાં એક રૂપિયો પણ વધતો નથી. ધનપ્રાપ્તિ માટે લક્ષ્મી દેવીને પ્રસન્ન કરવામાં આવે છે અને તેમની પૂજા કરવામાં આવે છે. કેટલીક વાર તેમની આરાધના કરવા છતાં ધનપ્રાપ્તિ થતી નથી, આવું કેમ થાય છે આવો જાણીએ.
ઘરમાં લક્ષ્મી ન ટકવાનું કારણ તમારુ ઘર
લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે અપનાવો આ ટિપ્સ
તમારા ખિસ્સામાંથી ખાલી નહી થાય રૂપિયા
જો તમારા હાથે બિનજરૂરી ખર્ચ વધુ થઇ રહ્યો છે તો રોજ 1 રૂપિયાનો સિક્કો માતા લક્ષ્મીના ચરણોમાં અર્પણ કરો, જેનાથી દેવી પ્રસન્ન થશે. મહિનાના અંતે મહિલાને આ રૂપિયાનું દાન કરો.
તમારી પાસે રૂપિયા ટકતા નથી તો લક્ષ્મીજીનો એવો ફોટો સ્થાપિત કરો જેમાં લક્ષ્મીજીના હાથમાંથી રૂપિયાનો વરસાદ થાય છે.
લક્ષ્મીજીની તસવીર સામે ઘીનો દિવો પ્રગટાવો અને રોજ પરફ્યુમનો ઉપયોગ કરો.
જે ઘરોમાં દિવાનો ફૂંક મારીને બુઝાવી દેવામાં આવે છે તેવા ઘરોમાં લક્ષ્મી ક્યારેય વાસ કરતી નથી.
ટૂટેલા કાંસકાથી વાળ ઓળો છો તો પણ લક્ષ્મી તમારા ઘરમાં વાસ નહી કરે
રાત્રે પગ ધોયા વગર ઉંઘી જવાથી પણ લક્ષ્મીનો નાશ થાય છે.
રાત્રે તમારા ઘરમાં ભોજનના વાસણ સાફ કર્યા વગર પડી રહે છે તો લક્ષ્મીનો નાશ થશે.
સૂર્યાસ્ત પછી કચરો વાળવામાં આવે તો લક્ષ્મીજી તે ઘરમાં નહી રહે
જો તમને નખ ચાવવાની આદત છે તો પણ લક્ષ્મીજી રિસાઇ જશે
જે ઘરમાં શંખ ન હોય તેવા ઘરમાં પણ લક્ષ્મીજીનો વાસ નથી હોતો
પૂર્વજોની પૂજા જે ઘરમાં નથી થતી તેવા ઘર તરફ લક્ષ્મીજી ક્યારેય જોતા નથી.