ઘરને સજાવવા માટે આમ તો બજારમાં જાતજાતની વસ્તુઓ મળતી હોય છે. લોકો સજાવવા માટે રિયલ-આર્ટિફિશિયલ ફૂલ-છોડ, પેઇન્ટિંગ્સ જેવી અનેક વસ્તુઓ વાપરતાં હોય છે. ગૃહ સજાવટ કરતી વખતે સુંદરતાની સાથે જ વાસ્તુનો ખ્યાલ રાખવામાં આવે તો ઘરની સુંદરતા વધવાની સાથે જ સુખ-સમૃદ્ધિ પણ વધે છે. વાસ્તુ શાસ્ત્રમાં સુખ-શાંતિ અને ખુશી માટે અનેક ઉપાયો જણાવાયા છે.
દસ વાસ્તુ ટીપ્સ
1. મહેમાનો સાથે મધુર સંબંધો માટે ઉત્તર કે પશ્ચિમ દિશામાં સ્થાન બનાવવું જોઈએ.
2. વાસ્તુ શાસ્ત્ર મુજબ પૈસાની બચત થાયતે માટે ઘરની દક્ષિણ-પૂર્વ દિશામાં વાદળી રંગને બદલે ગુલાબી રંગનો ઉપયોગ કરવો જોઇએ
3. ઘરમાં છોડને રોજે પાણી પાવું જોઈએ અને કોઈ છોડ સુકાય તો એેને તરત જ કાઢી નાંખો.
4. પાર્કિંગ માટે ઉત્તર-પશ્ચિમ દિશાનું સ્થાન પસંદ કરવું જોઈએ.
5. કદી પણ દક્ષિણ દિશા પગ કરીને ના સુવું જોઈએ. આમ કરવાથી બેચેની અને ગભરામણ થાય છે.
6. માન્યતા છે કે બેડરૂમમાં ડ્રેસિંગ ટેબલ પૂર્વ કે ઉત્તર દિશામાં હોવું જોઈએ. આ સિવાય સૂતી વખતે અરિસાને ઢાંકી દેવો જોઈએ.
7. પૂજાના રૂમમાં નિયમિત પૂજા કરવી જોઈએ. મંદિર ક્યારેય દક્ષિણ-પશ્ચિમ દિશામાં ના બનાવવું જોઈએ,
8. ઘરમાં ઉત્તર દિશા, પૂર્વ દિશા અને વાયવ્ય દિશામાં સામાન મુકવો શુભ હોય છે.