ઘર હોય ત્યાં બે વાસણ ખખડે એવી કહેવત તમે સાંભળી હશે પરંતુ વારંવાર જો ઘરમાં કંકાસ થાય છે તો વાસ્તુદોષ છે તેમ માનવું.
ઘરમાં હંમેશા કંકાસ રહે છે?
પતિ-પત્ની વચ્ચે થાય છે ઝઘડો?
આ નાનકડો ઉપાય ઘરમાં લાવશે શાંતિ
કેટલાક ટોડકા તમારા આ કંકાસને હંમેશા માટે દૂર થાય છે, તેવી જ એક ચીજ છે ફટકડી, તેનાથી તમારા ઘરમાં શાંતિ ફેલાશે અને કકળાટ હંમેશા માટે દૂર થઇ જશે.
ફટકડીને સ્વાસ્થ્યનો ખજાનો માનવામાં આવે છે. માત્ર થોડી ફટકડીના ઉપયોગથી ઘણા રોગો મટી શકે છે. તેવી જ રીતે ફટકડીના ઉપયોગથી ઘરમાંથી નેગેટીવીટી દૂર કરી શકાય છે. કેટલાક પગલા લેવાથી ઘરમાં થતો કંકાસ દૂર થઇ જશે.
જે લોકોના ઘરમાં વારંવાર લડત અથવા તણાવનું વાતાવરણ હોય તો એક બાઉલની અંદર ફટકડી ભરી તેને ઘરના કોઇ પણ ખૂણામાં મૂકી દો. જેથી તણાવનું વાતાવરણ સમાપ્ત થશે.
ઘરના વડીલના પલંગ નીચે એક લોટોમાં પાણી ભરો અને આ પાણીમાં થોડી ફટકડી નાંખો જેથી ઘરમાં શાંતિ આવશે અને પારિવારિક તકરાર દૂર થશે.
વ્યાપારમાં થશે ફાયદો
વ્યવસાયમાં પ્રગતિ મેળવવા માટે ફટકડીથી સંબંધિત ઉપાયો કરવા જોઇએ. લાલ રંગના કપડામાં થોડી ફટકડી બાંધો અને કાપડને વ્યવસાયના કોઇ પણ ખૂણામાંમૂકી દો જેથી સમસ્યાઓ દૂર થઇ જશે.
વાસ્તુ દોષ દૂર
જો ઘરમાં વાસ્તુ દોષ હોય તો તમે 50 ગ્રામ ફટકડીને બાઉલમાં નાંખો અને ઘરની પૂજામાં તે રાખો, આ પગલા લેવાથી ઘરનો વાસ્તુદોષ દૂર થઇ જશે.