નવુ વર્ષ શરૂ થયુ છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે નવુ વર્ષ તેમના માટે ફળદાયી રહે. જેના માટે તેઓ તમામ પ્રકારના ઉપાય પણ કરે છે. કળયુગમાં હનુમાનજીનુ નામ લેવાથી તમામ ભય, સંકટ ટળી જાય છે.
હનુમાનજીની તસ્વીર લગાવવાથી જીવનમાં મુશ્કેલી થાય છે દૂર
વાસ્તુની દ્રષ્ટિએ નવા વર્ષમાં કઈ તસ્વીર લગાવશો?
હનુમાનજીનુ નામ લેવાથી તમામ ભય, સંકટ ટળી જાય છે
નવા વર્ષમાં ભગવાન હનુમાનજીની કઈ તસ્વીર લગાવશો?
હનુમાનજીને અષ્ટસિદ્ધીઓ અને નવનિધિઓનુ વરદાન મળ્યું છે. એવામાં ઘરમાં તેમની તસ્વીરોને લગાવવાથી દરેક પ્રકારની પરેશાનીઓ જીવનથી દૂર જતી રહે છે. આવો જાણીએ કે વાસ્તુની દ્રષ્ટિએ નવા વર્ષમાં ભગવાન હનુમાનજીની કઈ તસ્વીર લગાવવી જોઈએ.
આકાશમાં ઉડતા હનુમાનજીનુ ચિત્ર લગાવો
જીવનમાં કોઈ પણ કાર્યમાં સફળતા મળતી નથી. નોકરી અને અભ્યાસમાં વારંવાર મુશ્કેલી આવી રહી છે તો આકાશમાં ઉડતા હનુમાનજીનુ ચિત્ર લગાવવુ જોઈએ. જેનાથી સફળતાનો માર્ગ સરળ થવા લાગે છે.
બેઠેલી મુદ્રામાં હનુમાનજીનુ ચિત્ર લગાવો
તમને લાગે છે કે ઘરમાં નકારાત્મક શક્તિઓ અને નકારાત્મક ઉર્જાનો સંચાર થઇ રહ્યો છે તો ઘરની દક્ષિણ દિશાવાળી દિવાલ પર લાલ રંગની બેઠેલી મુદ્રામાં હનુમાનજીનુ ચિત્ર લગાવો. જેનાથી જીવનમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે.
આત્મવિશ્વાસની કમી છે તો હનુમાનજીની આ તસ્વીર લગાવો
જો તમને અથવા પરિવારના કોઈ સભ્યને એવુ લાગે છે કે તેમાં આત્મવિશ્વાસ અથવા સાહસની કમી છે. કોઈ પણ નિર્ણયમાં પહોંચી શકતા નથી તો ઘરમાં હાથમાં પર્વત ઉઠાવતા હનુમાનજીની તસ્વીર લગાવો. જેનાથી આત્મવિશ્વાસ મજબૂત થશે.
હનુમાનજીની આ તસ્વીર લગાવો, પરિવારમાં વધશે પ્રેમ
રામ દરબારમાં હનુમાનજીની તસ્વીર લગાવવાથી ઘણો ફાયદો થાય છે. એટલેકે જે તસ્વીરમાં હનુમાનજી ભગવાન રામના ચરણમાં બેઠા છે. આ તસ્વીર લગાવવાથી પરિવારમાં પ્રેમ, વિશ્વાસ, સ્નેહ અને એકતા વધે છે.