સામાન્ય રીતે પતિ-પત્ની વચ્ચે તાલમેલની કમીના કારણે ઝઘડા થાય છે. વાસ્તુ મુજબ જો ઘરમાં વાસ્તુ દોષ હોય છે તો લગ્નજીવનમાં પણ પરેશાનીઓ બની રહે છે. વાસ્તુ નિષ્ણાત અનુસાર જો કેટલીક એવી ટિપ્સને અપનાવીને તમારા મેરિડ લાઇફની પરેશાનીઓ ઓછી થઇ શકે છે.
- જે પલંગ પર પતિ-પત્ની સૂતા હોય તેના પર કોઈ અન્યને સૂવા ન દેવું જોઈએ.
- પતિ-પત્નીના બેડરૂમમાં પલંગ અથવા પથારી બારી પાસે ન લગાવવી જોઈએ. તેનાથી સંબંધોમાં તણાવ અને અસહયોગ વધે છે.
- જો બારી પાસે પલંગ રાખવો હોય તો માથા અને બારી વચ્ચે પડદો જરૂર નાખી દેવો જોઈએ. વાસ્તુ મુજબ તેનાથી નકારાત્મક ઊર્જાની ખરાબ અસર સંબંધો પર નથી થતી.
- વાસ્તુ મુજબ ઘરના દક્ષિણ-પશ્ચિમ ભાગને પરસ્પર સંબંધો માટે એક્ટિવ માનવામાં આવે છે એટલે આ ભાગમાં હકારાત્મક ઊર્જાને સક્રિય અને નકારાત્મક ઊર્જાને નિષ્ક્રિય કરવા માટે તમે જે પણ પ્રયાસ કરશો તે ખૂબ જ ફળદાયક સાબિત થાય છે.
- બેડરૂમમાં એવી વસ્તુઓ ન રાખો જે એકલતા અથવા નકારાત્મકતા દર્શાવે છે. જેમ કે ડૂબતી નાવની તસવીર કામુક ચિત્રો બિનજરૂરી સામાન ગંદકી ફેલાવનારી વસ્તુઓ વગેરે. ધ્યાન રાખો બેડરૂમમાં પલંગના એકદમ સામે અરીસો પણ ન લગાવવો જોઈએ.
- છત પર બીમ હોય તો પતિ-પત્નીએ ઠીક તેની નીચે ન સૂવું જોઈએ. તે સ્થાનથી થોડા દૂર સૂવું જોઈએ.
- નવદંપત્તી માટે પથારી (ગાડલા ઓછાળ ઓશીકા વગેરે) પણ નવા હોવા જોઈએ. જો આ શક્ય ન હોય તો પ્રયાસ કરો કે આવી ચાદર અથવા પથારીને ઉપયોગમાં ન લેવાય જેમાં કાણું હોય અથવા તે ક્યાંયથી કપાયેલી કે ફાટેલી હોય.
- પતિ-પત્નીએ પલંગની નીચે કોઈ પણ સામાન ન રાખવો જોઈએ. પલંગની નીચેની જગ્યાએને ખાલી રહેવા દેશો તો હકારાત્મક ઊર્જા સક્રિય રહે છે. બેડની ચારેય તરફ ઊર્જા વિના કોઈ બાધાએ પ્રવાહિત થઈ શકે છે.
- બેડરૂમમાં પ્રવેશ દ્વારવાળી દીવાલની સાથે તમારો બેડ લગાવીને રાખ્યો છે તો તેનાથી બચો. તેનાથી સંબંધોમાં તણાવ વધે છે.
- પલંગ કાયમ સાફ રહેવો જોઈએ. તેનાથી સંબંધોમાં તાજગી બની રહે છે.