વસ્તુ શાસ્ત્રમાં ઘરમાં સુખ-સમૃદ્ધિ મેળવવા માટે અમુક ઉપાયો બતાવવામાં આવ્યા છે. જાણો ક્યા છે આ ઉપાયો.
પરિવારમાં રહે છે સુખ-શાંતિ
આર્થિક સ્થિતિ બને છે મજબૂત
વાસ્તુ દોષ થાય છે દૂર
ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવવા માટે આપણે તમામ પ્રકારના પ્રયાસ કરીએ છીએ. ક્યારેક મુખ્ય દરવાજા પર ખાસ પ્રકારના છોડ લગાવી છીએ તો ક્યારે ખાસ પ્રકારની વસ્તુઓ ઘરમાં સજાવીએ છીએ. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં અમુક વસ્તુઓ રાખવાથી તમામ આર્થિક સમસ્યાઓ દૂર થાય છે તથા સુખ-સમૃદ્ધિ વધે છે.
ઘરનું મંદિર
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરના પૂજા મંદિર માટે સૌથી સારી દિશા ઇશાન કોણ છે. આવું એટલા માટે કેમકે ઇશાન કોણ સાથે દેવી-દેવતાઓનું સીધું કનેક્શન હોય છે. આવામાં ઘરનું પૂજા મંદિર ઇશાન કોણમાં હોવું જોઈએ થવા પૂર્વ દિશામાં હોવું જોઈએ.
ઘડિયાળની દિશા
ઘડિયાળ સમય બતાવે છે. વાસ્તુ શાસ્ત્રમાં તેને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. જો તેને ઉચિત દિશા પર ન લગાવવામાં આવે તો તેનાંથી સર્જાતા વાસ્તુ દોષ આર્થિક નુકસાન પહોંચાડી શકે છે. ઘડિયાળને ઘરની પશ્ચિમ અથવા દક્ષીણ દિશામાં ન લગાવવી જોઈએ. ઘડિયાળ હંમેશા પૂર્વ અથવા ઉત્તર દિશામાં જ હોવી જોઈએ.
તુલસીનો છોડ
હિંદુ ધર્મમાં તુલસીના છોડનું ખાસ મહત્વ છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, તુલસીનો છોડ ઘરના આંગણામાં હોવો જોઈએ. સાથે જ પૂર્વ-ઉત્તર દિશામાં વાવવો શુભ માનવામાં આવે છે. ઘરમાં આ પ્રકારે તુલસીનો છોડ લગાવવાથી આર્થિક સંકટો દૂર થાય છે તથા ઘર પરિવારમાં શાંતિ બની રહે છે.
ઘરમાં પોતું મારતા પહેલા રાખો આ વાતનું ધ્યાન
વાસ્તુ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે ઘરમાં પોતું મારતા સમયે સમુદ્રી નમકનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે. આવું કરવાથી કિસ્મતના બંધ દરવાજો ખુલી જાય છે તથા પરિવાર ખુશહાલ રહે છે.