દિવાળી પહેલા ઘરમાં સાફ-સફાઈ કરવામાં આવે છે. ઘણા લોકો પોતાના ઘરમાં પેઈન્ટિંગ પણ કરાવે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ પેઈન્ટ કરાવવામાં રંગોની પસંદગી પર વિશેષ ધ્યાન આપવુ જોઈએ.
દિવાળી પહેલા લોકો કરાવે છે પેઈન્ટ
પેઈન્ટ કરવામાં રંગોની પસંદગી પર આપો વિશેષ ધ્યાન
તમારા જીવનમાં આવશે સકારાત્મકતા
દિવાળી પહેલા કરાય છે ઘરની સાફ-સફાઈ
દિવાળીના દિવસે ભગવાન ગણેશ અને માં લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. માં લક્ષ્મીના આગમન પહેલા ઘરમાં સાફ-સફાઈ સહિત ઘણી વિશેષ તૈયારીઓ કરવામાં આવે છે. માનવામાં આવે છે કે માં લક્ષ્મી એવા ઘરમાં વાસ કરે છે જ્યાં સ્વચ્છતા હોય છે. તેથી મોટાભાગના લોકો દિવાળી પહેલા પોતાનુ ઘર ધોળાવે છે.
દિવાળી પહેલા કરવામાં આવે છે રંગરોગાન
વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરની દિવાલનો રંગ શારીરિક અને માનસિક રીતે તમને પ્રભાવિત કરે છે. જો તમે પણ દિવાળી પહેલા પોતાના ઘર અને રૂમની દિવાલોને ધોળાવવા માંગો છો તો વાસ્તુના આ નિયમોનુ અવશ્ય પાલન કરો. માનવામાં આવે છે કે આ નિયમોનુ પાલન કરવાથી જીવનમાં સકારાત્મકતા આવે છે અને માં લક્ષ્મીનો આશીર્વાદ મળે છે.
વાસ્તુ શાસ્ત્ર મુજબ આ રંગોની કરો પસંદગી
વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરની અંદર હલ્કા શેડ્સના રંગોનો ઉપયોગ કરવો જોઈએ. વાસ્તુમાં આ રંગોને સાત્વિક રંગ કહેવામાં આવે છે. આ રંગ ઘરના સભ્યોને માનસિક શાંતિ પહોંચાડે છે. દિવાળી પહેલા ઘરને ધોળાવવા માંગો છો તો આ રંગોને પ્રાથમિકતા આપો.
ડ્રોઈંગ રૂમમાં આછો લીલો અથવા વાદળી અથવા આસમાની રંગોનો પ્રયોગ સારો રહે છે. વાસ્તુ શાસ્ત્રમાં તેને કોમળ રંગ માનવામાં આવે છે. આ રંગ શાંતિ આપે છે અને ઘરનો માહોલ ખુશનુમાન બનાવી રાખે છે.
વાસ્તુ શાસ્ત્ર મુજબ બેડરૂમને ગુલાબી અથવા નારંગી રંગથી પેઈન્ટ કરાવવો જોઈએ. જેનાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધે છે. બેડરૂમમાં લાલ રંગના ઉપયોગથી બચવુ જોઈએ. કારણકે માનવામાં આવે છે કે તેનાથી દામ્પત્ય જીવનમાં તિરાડ આવે છે.