વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની સાથે બિઝનેસ સ્થાન પર વાસ્તુ દોષ હોવાના કારણે આર્થિક ઉન્નતિ નથી થતી. સાથે જ વ્યાપારમાં નુકસાન થતુ રહે છે.
ધંધામાં સમસ્થા હોય તો આ વાસ્તુ ટિપ્સ આવશે કામ
આ રીતે કરો વાસ્તુ દોષ દૂર
કામમાં આવશે સફળતા
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ફક્ત ઘર બનાવવું જ કારગર નથી પરંતુ તેનો ઉપયોગ બિઝનેસ માટે પણ સારો હોય છે. ઘણી વખત બિઝનેસ વાળા સ્થાન પર વાસ્તુ દોષ હોવાના કારણે આર્થિક ઉન્નતિ નથી થતી. સાથે જ વ્યાપારમાં નુકસાન થાય છે. એવામાં વાસ્તુ શાસ્ત્રના અમુક ઉપાય બિઝનેસમાં અપાર સફળતા અને આર્થિક ઉન્નતિ આપી શકે છે. આવો જાણીએ આ બિઝનેસ માટે વાસ્તુ ટિપ્સ.
વાસ્તુ શાસ્ત્રમાં છે રંગોનું ખાસ મહત્વ
વાસ્તુ શાસ્ત્રમાં રંગોનું ખાસ મહત્વ છે. દરેક રંગમાં અલગ અલગ એનર્જી હોય છે જેના કારણે વાસ્તુ દોષને દૂર કરવામાં સફળતા મળે છે. વાસ્તુ દોષના કારણે બિઝનેસમાં સફળતા મળે છે. એવામાં રંગોના ઉપયોગથઈ વ્યાપારમાં આવનાર અવરોધ પણ દૂર થાય છે. બિઝનેસની જગ્યા પર દક્ષિણ-પૂર્વની દિવાલ પર કાળા રંગની પેન્ટિંગ કરાવો.
કાળા રંગનો ઉપયોગ કેમ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર કાળું તત્વ પાણી છે. તે પાણીનું પોષક છે. માટે દક્ષિણ-પૂર્વ દિશામાં થોડી માત્રામાં કાળો રંગ કરાવવાથી આ દિશા સાથે જોડાયેલા વાસ્તુ દોષ ખતમ થઈ જાય છે. પરિણામે વ્યાપારમાં આર્થિક સ્થિતિમાં સુધાર થવા લાગે છે.
જો વ્યાપાર પુરી રીતે ઠપ થઈ ગયો છે તો એવામાં દક્ષિણ-પૂર્વ દિશામાં બિલકુલ નિચેના ભાગમાં કાળા રંગથી પેન્ટ કરાવવાથી સ્થિતિમાં સુધાર આવે છે.
સફળતા માટે બીજું શું કરશો?
બિઝનેસમાં સફળતા માટે ટેબલ પર વ્યાપાર વૃદ્ધિ યંત્ર, ક્રિસ્ટલનો કાચબો, શ્રીયંત્ર અને ક્રિસ્ટલ બોલ વગેરે રાખો. તે ઉપરાંત દુકાન, ફેક્ટરી અથવા ઓફિસમાં હલ્કા ક્રીમ અથવા સફેદ રંગનો ઉપયોગ કરી શકો છો. વાસ્તુ અનુસાર આ રંગથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. જે બિઝનેસમાં તરક્કી માટે મદદગાર સાબિત થાય છે.