ઘરમાં આપણે બેડરૂમમાં રાખેલા પલંગને માત્ર ઉંઘવાની વસ્તુ ગણીએ છીએ, પરંતુ પલંગની આપણા જીવનમાં કેટલીક શુભ અને અશુભ અસરો પણ હોય છે. જો બેડરૂમમાં પલંગની દિશા ખોટી હોય, તો તે ઘરમાં વાસ્તુ ખામી પણ પેદા કરી શકે છે. તેનાથી જીવનમાં મુશ્કેલીઓ વધી શકે છે.
બોડરૂમના બેડને લઇને રસપ્રદ વાતો
વાસ્તુશાસ્ત્રને કારણે થાય છે આ ઘટના
વાસ્તુને સમજીને બેડરૂમ સજાવો
વાસ્તુ શાસ્ત્ર જણાવે છે કે બેડરૂમમાં પથારી મૂકવાના ઘણા નિયમો છે. જીવનમાં શાંતિ સ્થાપવા માટે આ નિયમોનું પાલન કરવું જરૂરી છે. નહિંતર, તમારે આખી જીંદગીમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ચાલો અમે તમને જણાવીએ કે બેડરૂમમાં તમારા પલંગને કેવી રીતે રાખવો.
વાસ્તુ શાસ્ત્ર કહે છે કે જે વ્યક્તિ ખોટી જગ્યાએ બેડ પર સૂઈ જાય છે તેને બરાબર ઉંઘ આવતી નથી અને તેને માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે. જો પતિ-પત્ની ખોટી દિશામાં પથારી કરીને સૂઈ જાય તો તેમના વૈવાહિક જીવનમાં મુશ્કેલીઓ ઉભી થઈ શકે છે. સાથે તે કેટલીક ગંભીર બીમારીનો શિકાર પણ બની શકે છે.
પલંગ રૂમના દરવાજાની સામે ન મૂકવો જોઈએ. જો દરવાજાની સામે પલંગ મૂકવામાં આવે તો તેમાંથી વાસ્તુ ખામી ઉત્પન્ન થાય છે. જેને કારણે આર્થિક સમસ્યાઓ, માનસિક તાણ જેવી સમસ્યાઓ ઉભી રહે છે. જો પથારીનું સ્થાન બદલવું શક્ય નથી, તો પછી પડદો હંમેશાં દરવાજા પર રાખવો જોઈએ.
વાસ્તુ શાસ્ત્ર મુજબ પથારીની સામે આવો અરીસો ન હોવો જોઈએ, જ્યાં સૂતા સમયે તમારું પ્રતિબિંબ દેખાય. તે પતિ-પત્નીના સંબંધોને અસર કરે છે. જો પલંગની સામે આવો કોઈ ગ્લાસ હોય, જ્યાં તમારું પ્રતિબિંબ દેખાય, તો તમારે તેના ઉપર કપડું નાખીને સૂવું જોઈએ.
વાસ્તુ અનુસાર, પલંગનુ ગાદલુ અને ઓશીકુ આરામદાયક હોવું જોઈએ. હંમેશા ધ્યાનમાં રાખો કે તમારા પલંગની ઉંચાઈ ન તો વધારે હોવી જોઇએ ના ઓછી. માપસરની ઉંચાઇવાળા પલંગ પર સુવૂ જોઇએ.