જો બાથરૂમ સંબંધિત આ નિયમોની અવગણના કરવામાં આવે તો તે આર્થિક સ્થિતિ પર ભારે પડી જાય છે અને ઘણું નુકસાન થાય છે.
ઘરમાં વાસ્તુશાસ્ત્રનું રાખો ધ્યાન
નહીં તો આર્થિક રીતે થશે નુકસાન
વાસ્તુશાસ્ત્રમાં ઘરના બાથરૂમ માટે પણ છે આ નિયમ
ઘરના બીજા ભાગની જેમ બાથરૂમ માટે પણ વાસ્તુશાસ્ત્રમાં કેટલાક મહત્વપૂર્ણ નિયમો જણાવવામાં આવ્યા છે. આમાં બાથરૂમ-ટોયલેટ બનાવવાની સાચી દિશા ઉપરાંત તેના ઉપયોગ અને જાળવણીને લગતા કેટલાક નિયમો પણ સામેલ છે. જો બાથરૂમ સંબંધિત આ નિયમોની અવગણના કરવામાં આવે તો તે આર્થિક સ્થિતિ પર ભારે પડી જાય છે અને ઘણું નુકસાન થાય છે.
બાથરૂમની ગંદકી પડી શકે ભારે
બાથરૂમનો ઉપયોગ કરતી વખતે કરવામાં આવેલી કેટલીક ભૂલો ધન હાનીનું કારણ બને છે. જેમ કે ન્હાયા પછી બાથરૂમ ગંદુ મુકી રાખવું તમને ગરીબ બનાવી શકે છે. બાથરૂમની ગંદકી અને તેની ખોટી સ્થિતિ રાહુ-કેતુ ગ્રહને અશુભ પરિણામ આપવા મજબૂર કરે છે. તેથી બાથરૂમ ક્યારેય ગંદુ ન મુકી રાખો. બાથરૂમમાં ભીના કપડા પણ ન મુકી રાખો.
ટપકતા નળ
નળમાંથી પાણી લીક થવાથી વાસ્તુની મોટી ખામી સર્જાય છે. આ સિવાય પાણીનો બગાડ કરવાથી ધન અને પરિવારના સન્માનનું નુકસાન થાય છે. તેથી જો ઘરમાં કોઈ નળ લીક થાય છે તો તેને તાત્કાલિક રીપેર કરાવો નહીં તો તમારે નુકસાન સહન કરવું પડી શકે છે.
બાથરૂમમાં ખરેલા વાળ ગટર પર ન રહેવા દો
વાળ ધોયા બાદ બધાને વાળ ખરે છે. નહાયા બાદ બાથરૂમમાં પોતાના ખરેલા વાળ મુકી રાખવા શનિદેવ અને મંગળ દેવને નારાજ કરે છે. તેનાથી શનિ અને મંગળ ખરાબ ફળ આપે છે. તેના કારણે બનેલા કામ બગડી જાય છે. તમામ પ્રયત્નો બાદ પણ તરક્કી નથી થતી. કારણ વગર સંઘર્ષ કરવો પડે છે.
ખોલી ડોલ
પાણી ભરવાના વાસણ ખાલી રાખવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. પછી તે રસોડાના વાસણો હોય જેમાં પીવાનું પાણી હોય કે પછી બાથરૂમની ખાલી ડોલ હોય. માટે જો તમે ગરીબીથી બચવા માંગતા હોવ તો બાથરૂમમાં ક્યારેય ખાલી ડોલ ન રાખો. સ્નાન કર્યા પછી ડોલમાં પાણી ભરીને જ બહાર નીકળો.
નહાયા બાદ કપડા ધોવા
ઘણા લોકો સ્નાન કર્યા પછી ગંદા કપડાં ધોવે છે. જ્યારે આવું કરવું બિલકુલ ખોટું છે. સ્નાન કરતા પહેલા હંમેશા ગંદા કપડા ધોવા જોઈએ.