વાસ્તુશાસ્ત્રના નિમયોને પોતાના જીવનમાં લાગૂ કરવાથી તમારી સંપત્તિ અને સમુદ્ઘિમાં વધારો થઇ જશે. આ ઉપાયોની મદદથી ધનકુબેર અને લક્ષ્મીજી પ્રસન્ન થઇ જશે અને સાથે જ સમુદ્ઘિ અને સુખ-સંપત્તિમાં વધારો થશે.
આ ઉપાય ખૂબ જ સરળ અને પ્રભાવી છે, જેને કરવાથી તમારા જીવનની તમામ મુશ્કેલીઓ પૂરી થઇ જશે. તો જાણાીએ પૈસા અને સંપત્તિ વધારવાની આ ખાસ વાસ્તુ ટિપ્સ...
– ઘરની ઉત્તર દિશાને કુબેરની દિશા માનવામાં આવે છે, આ દિશાની દિવાલોનો રંગ વાદળી હોવો જોઇએ.
- પાણીનું સ્થાન ઉત્તર દિશામાં હોવુ જોઇએ.
- પાણીની ટાંકીમાં શંખ, ચાંદીનો સિક્કો અથવા તો ચાંદીનો કાચબો રાખવો શુભ માનવામાં આવે છે.
- જો ઘરમાં માછલીઘર હોય તો તેણે ઉત્તર દિશામાં રાખો.
- કુબેરની ચોક્કસ દિશા હોય છે માટે તિજોરી ઉત્તર દિશામાં રાખો.
- ઉત્તર દિશામાં વાદળી રંગનો પિરામિડ રાખશો તો સંપત્તિનો લાભ થશે.
- ઉત્તર દિશામાં કાચનું મોટું વાસણ અને રાખીને તેમાં ચાંદીના સિક્કા નાખો.
- ઘરના પૂર્વ-ઉત્તરના ખૂણાને દેવી-દેવતાઓનું સ્થાન માનવામાં આવે છે, તેમાં ગણેશ અને લક્ષ્મી માતાની મૂર્તિ રાખીને પૂજા કરો.