જ્યોતિષમાં વાસ્તુનું ખાસ મહત્વ રહેલું છે. વાસ્તુના ઉપાય દ્વારા અંગત જીવન અને પ્રોફેશનલ લાઇફમાં ફેલાયેલી તમામ પ્રકારની મુશ્કેલીઓ દુર થાય છે. આ કેટલીક એવી ટીપ્સ છે જેને અપનાવીને તમામ પ્રકારની મુશ્કેલીઓથી મૂક્તિ મેળવી શકાય છે.
- વાસ્તુશાસ્ત્રમાં ઇશાન કોણનું ખાસ મહત્વ રહેલું છે. આ દિશાને ખુબ જ શુભ માનવામાં આવે છે. ઘરના ઇશાન ભાગમાં કોઇ ખૂણો ઉંચો ના હોવો જોઇએ. ઘરના આ હિસ્સામાં દોષ હોવાથી પિતા-પુત્ર વચ્ચે તણાવ ઊભો થાય છે.
- ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં રસોઇ ઘર અથવા શૌચાલય હોવાથી ઘરના સભ્યો વચ્ચે મનદુખ થતું રહે છે. આ પરેશાનીને દુર કરવા માટે ઉત્તર-પૂર્વ દિશામાં રસોઇઘર અથવા શૌચાલય ના હોવું જોઇએ.
-ઇશાન કોણ પર વીજળીના ઉપકરણો રાખવાથી પિતા-પુત્ર વચ્ચે અણબનાવ ઉભા થાય છે. ઘરની ઉત્તર-પૂર્વી દિશામાં આ પ્રકારની ચીજ-વસ્તુઓ ભૂલથી પણ ના રાખવી જોઇએ.
- વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરની ઉત્તર-પૂર્વી દિશામાં કચરાપેટી ના રાખવી જોઇએ નહીંતર પરિવારના સભ્યો વચ્ચે અણબનાવ થતો રહે છે.