સનાતન ધર્મમાં વાસ્તુનુ વધારે મહત્વ હોય છે. એવુ માનવામાં આવે છે કે ઘરમાં સામાન વાસ્તુના નિયમ મુજબ રાખવાથી જીવનમાં ચમત્કારી પ્રભાવ જોવા મળે છે. આ સાથે તેમનુ સ્વાસ્થ્ય પણ સારું રહે છે. ઘરમાંથી નકારાત્મક ઉર્જા નષ્ટ થાય છે અને ઘર ધન-ધાન્યથી પૂર્ણ રહે છે.
સૂર્યાસ્ત બાદ ભૂલથી પણ ના કરો આ કામ
જો કરશો તો ઘરમાંથી જતી રહેશે ખુશી
સાંજે વ્યક્તિએ તેના ઘરના દરવાજા બંધ ના કરવા જોઈએ
સાંજના સમયે ના ઊંઘશો
આવો જાણીએ કે સૂર્યોદય બાદ કયા કાર્ય ના કરવા જોઈએ. જ્યોતિષ શાસ્ત્રમાં એવુ કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ સાંજના સમયે ઉંઘી જાય છે તો તે ઘણા રોગોનો શિકાર થઇ શકે છે. આ સાથે સાંજના સમયે ઊંઘનારા વ્યક્તિની ઉંમર પણ ઓછી થાય છે. હિન્દુ ધર્મમાં સૂર્યાસ્ત સમયે માતા લક્ષ્મીનુ ઘરમાં આગમન માનવામાં આવ્યું છે. આ સાથે એવુ પણ બોલવામાં આવે છે કે સાંજે વ્યક્તિને તેના ઘરના દરવાજા બંધ ના કરવા જોઈએ.
સાંજે ના ફેરવશો સાવરણી
હિન્દુ ધર્મમાં સૂર્યાસ્ત બાદ અથવા સંધ્યાકાળે ઘરની અંદર સાવરણી ફેરવવાની મનાઈ છે. એવુ માનવામાં આવે છે કે સાંજના સમયે ઘરની અંદર સાવરણી ફેરવવાથી અશુદ્ધીઓ આવે છે અને માં લક્ષ્મી નારાજ થાય છે. આ ઉપરાંત સાંજે સાવરણી ફેરવવાથી ઘરની સકારાત્મક ઉર્જા બહાર જતી રહે છે.
તુલસીની પૂજા ના કરશો
હિન્દુ ધર્મમાં તુલસીને વધુ પવિત્ર અને શુદ્ધ માનવામાં આવી છે. ત્યાં સુધી કે તુલસીના છોડની પૂજાના અમુક નિયમોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એવામાં શાસ્ત્રો મુજબ સૂર્યાસ્ત બાદ તુલસીના છોડને અડવુ અથવા તેના પાન ના તોડવા જોઈએ. આમ કરવુ અશુભ માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ આવુ કરે છે તો તેનાથી માં લક્ષ્મી કોપાયમાન થાય છે અને માં લક્ષ્મીની નારાજગીનો સામનો કરવો પડે છે.