મોટાભાગે બધા લોકોની એક જ સમસ્યા હોય છે કે પૈસા તો ઘણા કમાઈએ છીએ પણ બચતું કઈ જ નથી અને ઉપરથી મિત્ર મંડળમાંથી પૈસા ઉછીના લેવા પડે છે. ઘણા લોકોને તો વ્યાજે લેવા પડે છે.
ઘરમાં પૈસાની અછત હોય તો તમારા ઘરમાં વાસ્તુદોષ હોઈ શકે છે. વાસ્તુશાસ્ત્રમાં નેઋત્ય અને ઉત્તર દિશાને આર્થિક સંપન્નતાનું પ્રતીક માનવામાં આવે છે. ઘરમાં આ દિશાઓમાં કઇ કમી હોય તો પૈસાની તંગી સર્જાય છે. અને દેવું વધી જાય છે.
વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં ઈશાન દિશાનું ખુબ જ મહત્વ હોય છે. જેથી આ ખૂણાને એકદમ સ્વચ્છ રાખવો જોઈએ ઘરનો ઈશાન ખૂણો જો ગંદો હશે તો ઘરમાં હંમેશા પૈસાની તંગી સર્જાશે અને દેવું વધશે.
આ ઉપરાંત ઘરમાં પૂર્વ દિશામાં ભારે સામાન ન રાખવી જોઈએ ઘરમાં પૂર્વ દિશામાં ભારે સામાન રાખવાથી દેવા ઉપર ભાર વધે છે અને દેવું ઓછું થવાના બદલે વધતું જ જાય છે.
આ ઉપરાંત એક ખાસ મહત્વની વાત કે ઘરની તિજોરી હંમેશા દક્ષિણ દિશામાં સ્થાપિત કરવી જોઈએ જેનો દરવાજો ઉત્તર દિશામાં ખુલવો જોઈએ જેથી ઘરમાં દેવું વધવાના બદલે નાબૂદ થઇ જશે અને ઘરમાં લક્ષ્મીનો વાસ રહેશે.