બાળકોનું મન અભ્યાસમાં નથી લાગતુ અથવા બાળકનું મન ચંચળ બની ગયું છે. એક જગ્યાએ સ્થિર નથી રહેતું. જો રમત-ગમતમાં પણ બાળકો રૂચિ ન દેખાડેતો સાવધાન થઇ જવાની જરૂર છે. આપને જણાવીએ કે આ તમામ કારણો પાછળ વાસ્તુદોષ જવાબદાર હોઇ શકે છે.
બાળકોના સર્વાગી વિકાસ માટે વાસ્તુ શાસ્ત્રમાં સરળ ઉપાય બતાવવામાં આવ્યા છે. અહીં જાણો.
1 બાળકોના રૂમનું વાસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. બાળકોના રૂમની સજાવટ તેમના અનુકુળ હોવી જોઇએ. ત્યારે જ તે સ્વસ્થ રહેશે. બાળકોના રૂમમાં હવા અને ઉજાસનું ખાસ ધ્યાન રાખવું જોઇએ.
3 બાળકોના રૂમમાં લીલા રંગના પોપટની તસવીર ઘરની ઉત્તર દિશામાં લગાવવી જોઇએ. એવું કરવાથી બાળકોમાં અભ્યાસ અને રમત-ગમતમાં ઉત્તરોત્તર વધારો થાય છે.
4 આ ઉપરાંત બાળકોનો પલંગ વધારે ઉંચો ન હોવો જોઇએ. તેમાં માથુ પૂર્વ દિશા તરફ તથા પગ પશ્ચિમ તરફ હોય એ રીતે રાખવું જોઇએ. અભ્યાસ કરતા સમયે બાળકોનું મોઢું પૂર્વ દિશા તરફ, પીઠ પશ્ચિમ દિશા તરફ હોવી જોઇએ.
5 બાળકોના રૂમમાં ક્યારેય હિંસાત્મક અથવા ભટકાઉ પેન્ટિગ્સ અથવા ચિત્ર ન હોવા જોઇએ. બાળકોના રૂમમાં પ્રાકૃતિક ચિત્ર લગાવવા જોઇએ.
6 ભગવાન શ્રી ગણેશ અને માતા સરસ્વતીની તસવીર બાળકોના રૂમમાં રાખવી જોઇએ. જો બે બાળકો હોય અને બંને સમાન ઉંમરના હોય તો તેમના રુમમાં બે અલગ-અલગ રંગોનો પ્રયોગ કરી શકાય છે.