સાસૂ-વહૂમાં નાની-મોટી ખટપટ બહુ સામાન્ય બાબત છે. ઘણી વાર સંબંધો એવા હોય છે કે કેટલીક વાર વહૂ પોતાની સાસૂ અને સાસૂ પોતાની વહૂને સમજી શકતી નથી. સંબંધોમાં આવેલી આ ખટાશ સમજવી ઘણીવાર બહુ જ કઠિન બની જાય છે. જનરેશન ગેપ, વિચારમાં અંતર, લાઇફ સ્ટાઇલમાં અંતર આ સંબંધોને પ્રભાવિત કરતા હોય છે.
ખાસ બાબત એ છે કે બંને સાસૂ-વહૂએ સાથે રહેવાનું હોય છે. એકબીજાના સંપર્કમાં રહેવાનું હોય છે તેથી વૈચારિક મતભેદ હોવા સંભવ છે. જોકે ઘણીવાર સંબંધોમાં કડવાહટ આવી જાય છે. તો આ કડવાહટ દૂર કરવા માટે અહીં આપેલા કેટલાક ઉપાય આપને મદદ કરશે.
સાસૂ-વહૂના સંબંધમાં મિઠાસ લાવી શકે વાસ્તુ ટિપ્સ
1) આપ જ્યારે પણ રોટલી બનાવો તો, પહેલી રોટલી કુતરાના નામે બનાવી ખવડાવવી જોઇએ.
2) જે ઘરમાં સાસૂ-વહૂમાં ઝઘડા ખુબ જ થતા હોય તે ઘરમાં બંનેની સાથે ફોટો લો અને તેની ફ્રેમ કરાવી ઘરમાં ઉત્તર-પૂર્વ ખુણામાં લગાવી દો. હા, એટલું જરૂર યાદ રાખવું કે ફોટોમાં બંને હસતા નજરે પડવા જોઇએ.
3) જે ઘરમાં ગાયત્રી મંત્રનો જાપ થાય છે ત્યા સાસૂ-વહૂના સંબંધમાં સંયમ અને મધુરતા બની રહે છે. મંત્રનો જાપ ન કરી શકો તો મંત્રને સાંભળવો જોઇએ.
4) જો દિવસે-દિવસે સાસૂ-વહૂમાં ઝઘડા વધતા જઇ રહ્યા હોય તો શનિવારે પીપળાના ઝાડમાં જળ ચઢાવવું જોઇએ.
5) સારા સંબંધો માટે સાસૂ-વહૂએ રસોઇઘરમાં જમીન પર બેસીને સાથે ભોજન કરવું જોઇએ.
6) સાસૂ-વહૂના સંબંધો વધુ ખરાબ બની રહ્યા હોય તો કદમ્બના ઝાડની નાની ડાળી સુતી વખતે તમારા તકિયા નીચે રાખવી જોઇએ.
7) રોજ સૂર્યને જળ અર્પણ કરવાથી પણ સાસૂ-વહૂના સંબંધોમાં મધૂરતા આવે છે.
8) સાસૂ- વહૂ બંને માંથી જેનો પણ જેની સાથે વૈચારિક મતભેદ હોય તેણે શુક્રવારે ખાટી વસ્તુ બિલ્કુલ ખાવી ન જોઇએ.
9) જો સાસૂ વધુ ગુસ્સો કરતા હોય તો વહૂએ મંગળવારના દિવસે મીઠી વસ્તુ બનાવીને ખવડાવવી જોઇએ.
10) ક્યારેય તમારા સાસૂને કાંચમાંથી બનેલી વસ્તુઓ ભેટ ન કરવી. તે મતભેદ વધારવાનું કામ કરે છે.
આ ઉપાયોથી આપ આપના સંબંદો મજબૂત બનાવી શકો છો. સાથે સંયમ અને મધુર વાણી સાથે સંબંધોમાં જરૂર મીઠાસ લાવી શકો છો.