બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ક્યારેય કુબેરનો ખજાનો નહીં ખૂટે, બસ ઘરમાં આ જગ્યાએ બનાવી દો સ્વસ્તિકનું ચિહ્ન, જાણો મહત્વ
Last Updated: 09:42 AM, 11 June 2024
હિંદૂ ધર્મમાં ધાર્મિક આયોજનોમાં સ્વસ્તિક ચિન્હ બનાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. સ્વસ્તિક ચિન્હને કુમકુમ કે પછી હળદરથી પણ બનાવવામાં આવે છે. નવા ઘરમાં પ્રવેશ કરવો નવા વાહનોની પૂજા કરવી કે પછી કોઈ પણ શુભ કાર્ય સ્થળ પર આ શુભ ચિન્હને જરૂર બનાવવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સ્વાસ્તિક ચિન્હને ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે.
ADVERTISEMENT
ઘરમાં આવે છે સુખ-સમૃદ્ધિ
ADVERTISEMENT
આમ તો તેને કંકુથી પણ બનાવવામાં આવે છે પરંતુ હળદરથી પણ તેને તૈયાર કરવામાં આવે છે. હળદરથી બનેલા સ્વસ્તિક ચિન્હથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવવાની સાથે જ ઘણા અન્ય લાભ પણ પ્રાપ્ત થાય છે.
ઘરમાં આ જગ્યા પર બનાવ્યો સ્વસ્તિક
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હળદરનો સ્વસ્તિક ઘરના મુખ્ય દ્વાર પર બનાવવો શુભ માનવામાં આવે છે. તેના ઉપરાંત ઘરના મંદિરમાં પણ હળદરનો સ્વસ્તિક બનાવવો શુભ માનવામાં આવે છે. આમ કરવાથી પૂજા ઘરના વાતાવરણમાં સકારાત્મર ઉર્જાનું સંચાર બની રહે છે.
સ્વાસ્થ્ય લાભ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરમાં સ્વસ્તિક ચિન્હ બનાવવાથી ઘણી જુની બીમારીથી છુટકારો મેળવી શકાય છે. માટે જ્યારે પણ કોઈ લાંબી બિમારીથી ઝઝુમી રહ્યા હોવ તો ઘરમાં હળદરનું સ્વસ્તિક બનાવો.
માતા લક્ષ્મી અને કુબેર દેવની મળશે કૃપા
ઘરના મુખ્ય દ્વાર પર હળદરનો સ્વસ્તિક બનાવવાથી બધા સદસ્યો પર માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. આટલું જ નહીં તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર પણ બની રહે છે.
વધુ વાંચો: ભૂલથી પણ ઘરના મંદિરમાં ન મૂકી રાખતા આ ખાલી ચીજ, નહીંતર માતા લક્ષ્મી થઇ જશે નારાજ
નકારાત્મક ઉર્જા રહેશે દૂર
ઘરના મંદિરમાં હળદરનું સ્વસ્તિક બનાવવાથી નકારાત્મક ઉર્જા દૂર રહે છે. નેગેટિવ ઉર્જાને દૂર કરવા માટે મંદિરમાં પૂજા કરતી વખતે જરૂર સ્વસ્તિક બનાવો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.