તમે પણ રાત્રે સુતી વખતે માથાની પાસે આટલી વસ્તુઓ મુકતા હોવ તો ન હટાવી લેજો.
રાત્રે સુતી વખતે માથાની પાસે ન રાખો આ વસ્તુઓ
નકારાત્મક ઉર્જા થશે પ્રભાવીત
જાણો વાસ્તુ દોષ વિશે
વાસ્તુ શાસ્ત્ર અનુસાર સુતી વખતે માથાની પાસે અમુક એવી વસ્તુઓ રાખવાથી વાસ્તુ દોષ બને છે. તેને માથાની પાસે રાખીને સુવાથી જીવનમાં નકારાત્મકતા અને અશુભતા આવે છે. માટે તમારે રાત્રે સુતી વખતે આટલી વસ્તુઓ પાસે રાખીને ન સુવી જોઈએ.
પુસ્તકો
માથાની પાસે ન્યુઝપેપર, પુસ્તકો, મેકઝીન રાખવાથી જીવનમાં નકારાત્મકતા આવે છે અને તણાવ રહે છે.
અરીસો
માથાની પાસે અરીસો રાખવાથી વૈવાહિક જીવનમાં ક્લેશ ઉભુ થાય છે.
ખાયણી અને દસ્તો
વાસ્તુ અનુસાર રાત્રે સુતી વખતે માથાની ઉપર કે આજુબાજુ ખાયણી અને દસ્તો હશે તો સુખ-શાંતીની કમી આવવા લાગે છે.
તેલ
માથાની પાસે તેલની બોટલ રાખવાથી પણ જીવનમાં ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
જુતા-ચપ્પલ
બેડની પાસે અથવા માથાની પાસે જુતા ચપ્પલ મુકવાથી નેગેટિવિટી આવે છે.
પર્સ
માથાની પાસે પર્સ અથવા વોલેટ રાખીને સુવાથી આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે.
ઈલેક્ટ્રોનિક વસ્તુઓ
મોબાઈલ, ઘડીયાળ, ફોન, લેપટોપને માથાની પાસે રાખીને સુવાથી નકારાત્મકતા આવે છે.
પાણીની બોટલ
અમુક લોકો સુતી વખતે પાણીની બોટલ માથાની પાસે રાખે છે. વાસ્તુ અનુસાર પાણીથી ભરેલું કોઈ પણ વાસણ માથાની પાસે રાખીને સુવાથી ચંદ્રમા પ્રભાવિત થાય છે અને વ્યક્તિ માનસિક રીતે બીમાર થાય છે.