ઘરની સફાઈમાં વપરાતી સાવરણીને યોગ્ય રીતે રાખવાથી, તેના ઉપયોગને લઈને વાસ્તુના કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે નહીં તો તમારા ઘરની લક્ષ્મી ખોવાઈ જશે.
સાંજના સમયે ભૂલથી પણ ન કરશો આ કામ
ઘરમાં નહીં રહે લક્ષ્મીનો વાસ
જાણો સાવરણીના ઉપયોગ અને તેને રાખવાને લઈને ખાસ નિયમો
વાસ્તુ શાસ્ત્રમાં ઘર, ઓફિસની સાથે કામકાજના સમયને લઈને પણ વાત કરાઈ છે. જો તમે સુખ અને સમૃદ્ધિ ઈચ્છો છો તો તમારે ઘરની સાફ સફાઈમાં કેટલીક વાતનું ખાસ ધ્યાન રાખવાનું રહે છે. ધર્મમાં જ્યોતિષના આધારે સાવરણીને લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. તેનો ઉપયોગ યોગ્ય રીતે ન કરાય તો ઘરના રૂપિયા જતા રહે છે. તો તમે જાણો સાવરણીને રાખવા અને તેના ઉપયોગને લઈને કેટલીક ખાસ વાતો પણ.
સાવરણીના ઉપયોગમાં રાખી લો આ વાતનું ધ્યાન
ક્યારેય સાવરણીને પગ ન લગાવો. જો પગ લાગી જાય તો તેને નમન કરીને તેની માફી માંગો. કોઈ પણ જાનવરને મારવા કે ભગાડવામાં સાવરણીનો ઉપયોગ ન કરો.
સૂર્યાસ્તના સમયે કે તે પછી ઘરમાં સાવરણી ન ફેરવો. આમ કરવાથી લક્ષ્મી જતી રહે છે. મજબૂરીમાં સાંજે અને રાતે કચરો કાઢો તો તેને ઘરની બહાર ન ફેંકો.
તૂટેલી સાવરણીનો ઉપયોગ ક્યારેય ન કરો. આમ કરવાથી અનેક સંકટ આવે છે. ના તો સાવરણીને રસોડામાં રાખો, આમ કરવાથી ઘરના સભ્યો કાયમ માટે બીમાર રહે છે.
શક્ય હોય તો શનિવારના દિવસે સાવરણી ખરીદો. ક્યારેય પંચકના સમયે સાવરણી ન ખરીદો.
સાવરણીને હંમેશા આડી કરીને અને છુપાવીને રાખો.કોઈની પણ નજર પડે તેવી જગ્યાએ ન રાખો. તેને તિજોરી , ટોયલેટ કે બાથરૂમને અડાવીને પણ ન રાખો.