વાસ્તુ મુજબ જ્યાં ઘરમાં સાચી દિશામાં સામાન રાખવો ખૂબ આવશ્યક હોય છે. યોગ્ય દિશામાં જો વાસ્તુનો સામાન ન રાખવામાં આવે તો ઘરમાં વાસ્તુ દોષ આવી જાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધી ઘટી જાય છે.
ઘરમાં સાચી દિશામાં સામાન રાખવો ખૂબ આવશ્યક
યોગ્ય દિશામાં સામાન ન રાખવાથી ઉત્પન્ન થાય છે વાસ્તુ દોષ
આ મૂર્તિઓ ઘરમાં રાખવાથી આવકના સાધન વધશે
ઘરમાં આ મૂર્તિઓ રાખવાથી આવે છે સુખ શાંતિ
અહીં અમે તમને જણાવી રહ્યાં છે, વાસ્તુ મુજબ અમુક એવી મૂર્તિઓ અંગે. જેને ઘરમાં રાખવાથી તમે ઘરમાં સુખ-શાંતિ લાવી શકો છો. જેનાથી ઘરમાં આવકના સાધન તો વધશે. આ સાથે લક્ષ્મી સ્થાયી બનશે. જાણો આ મૂર્તિઓ વિશે.
હાથી ધન અને ઐશ્વર્યનુ પ્રતિક
હાથીને ધન અને ઐશ્વર્યનુ પ્રતિક માનવામાં આવે છે. હાથી માં ગજલક્ષ્મીનુ વાહન માનવામાં આવે છે. જેને ઘરમાં લગાવવાથી ઘરમાં માં લક્ષ્મીનો વાસ થાય છે.
કાચબો
કાચબો પણ માં લક્ષ્મી માટે ખૂબ ખાસ માનવામાં આવે છે. ખરેખર, સમુદ્રની મોટાભાગની વસ્તુઓ જેમકે શંખ, ગાય અને કાચબો માં લક્ષ્મી સાથે જોડાયેલા હોવાનુ માનવામાં આવે છે. કાચબાને વિષ્ણુજીનુ સ્વરૂપ માનવામાં આવે છે. જેને ઘરમાં ઉત્તર દિશામાં રાખવો જોઈએ. કાચબાને ઘરમાં અથવા મંદિરમાં રાખવાથી ઘરમાં ક્યારેય નાણાની અછત સર્જાતી નથી.
માછલીની આકૃતિ
માછલીને ફેંગશુઈ અને વાસ્તુમાં અત્યંત ખાસ માનવામાં આવે છે. જેના માટે ફિશ એક્વેરિયમ રાખી શકો છો. પરંતુ માછલીની મૂર્તિ ઘરમાં રાખવી સારી માનવામાં આવે છે.