ઘરમાં વાસ્તુ દોષ હોય છે તો એ ઘરમાં રહેતા લોકોને ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે. વાસ્તુદોષના કારણે ઘરમાં નેગેટિવિટી પણ રહે છે જે દરેક કામમાં અડચણ આવે છે. એને દૂર કરવા માટે જ્યોતિષમાં ઘણા ઉપાય પણ કહેવામાં આવ્યા છે. આ ઉપાય કરવા પર ઘરમાં સકારાત્મકતા રહે છે અને વાસ્તુ દોષથી થતી પરેશાનીઓ પણ દૂર થઇ શકે છે.
ઘરની નકારાત્મક ઊર્જાને દૂર કરવા માટે ઘરમાં પોતા કરતી વખતે પાણીમાં થોડું મીઠું મિક્સ કરી લો. એના માટે દરિયાનું મીઠું આ ઉપાય માટે શ્રેષ્ઠ રહે છે. આ ઉપાયથી નકારાત્મક ઊર્જા ખતમ થઇ જાય છે.
ઘરમાં સમયાંતરે ગૌમૂત્રનો છંટકાવ કરતા રહો. માન્યતા છે કે જે ઘરોમાં આ ઉપાય કરવામાં આવે છે એમાં હંમેશા દેવી-દેવતાઓની કૃપા બનેલી રહે છે. ગૌમૂત્રના ગંધથી વાતાવરણમાં રહેલા હાનિકારક કીટાણુ નષ્ટ થઇ જાય છે. એનાથી સ્વાસ્થ્ય સારું રહે છે.
દરરોજ સવારે ઘરની બહાર રંગોળી બનાવી જોઇએ ઘરની અંદર અને બહાર સારી રીતે સાફ સફાઇ કર્યા બાદ ઘરની બહાર રંગોળી બનાવો. રંગોળીને ખૂબ જ શુભ માનવામાં આવી છે અને એનાથી મહાલક્ષ્મીની પ્રસન્નતા પણ પ્રાપ્ત થઇ શકે છે.
ઘરની નકારાત્મક ઊર્જાને ખતમ કરવા માટે દરરોજ ઘરમાં 5 ચીજોનો ધુમાડો થોડાક સમય માટે ફેલાવો. આ પાંચ ચીજો છે લોબાન ગુગળ કપૂર દેશી ઘી અને ચંદન. આ પાંચ ચીજને પનિત્ર માનવામાં આવી છે અને એમાંથી નિકળતો ધુમાડો ઘરના વાતાવરણને પવિત્ર કરે છે.