વાસ્તુશાસ્ત્ર સકારાત્મક ઊર્જા અન નકારાત્મક ઊર્જાના સિદ્ધાંત પર કામ કરે છે. આ શાસ્ત્રમાં ઘરમાં સકારાત્મક વધારવા માટે ઘણા નિયમ જણાવવામાં આવ્યા છે. જો આ નિયમોનું પાલન કરવામાં ના આવે તો ઘરની નકારાત્મક ઊર્જા ખતમ થઇ શકે છે.
ઘરમાં ક્યારેય પણ બાથરૂમ અને કિચન બાજુ બાજુમાં ના બનાવવું જોઇએ, જો આવું થાય છે તો ઉપયોગ ના થવા પર બાથરૂમનો દરવાજો હંમેશા બંધ રાખો અને પડદો પણ પાડી દેવો જોઇએ. આવું કરવા પર બાથરૂમની નકારાત્મકત ઊર્જા કિચનમાં પ્રવેશ કરતી નથી. એનાથી આપણું સ્વાસ્થ્ય પણ ખરાબ થઇ શકે છે.
ધ્યાન રાખો કે ઘરમાં કાંટો વાળા, દૂધ નિકળતા અને ઝેરી છોડ લગાવવા જોઇએ નહીં. વાસ્તુની માન્યતા છે કે એનાથી નકારાત્મકતા વધે છે. ઘરમાં તુલસી, મની પ્લાન્ટ જેવા છોડ લગાવવા શુભ રહે છે. એનાથી ઘરમાં પોઝિટીવ રહે છે. વાતાવરણ પવિત્ર રહે છે.
રસોડામાં આગ અને પાણી એક સાથે રાખવો જોઇએ નહીં. આ બંને તત્વ એકબીજાથી એકદમ અલગ છે. આ બંનેને અલગ અલગ રાખવું જ શુભ માનવામાં આવે છે. આ બંને વચ્ચે થોડું અંતર રાખવું જરૂરી છે.
ઘરમાં દિવસ દરમિયાન થોડાક સમય માટે સૂર્યની રોશની આવવી જોઇએ. સૂર્યની રોશનીથી પણ ઘરની નકારાત્મક ઊર્જા નષ્ટ થાય છે અને સકારાત્મક વધે છે.