વાસ્તુ શાસ્ત્રમાં આજે આપણે ટપકતા નળના વાસ્તુ દોષ વિશે વાત કરીશુ. ઘરમાં ટપકતો નળ રાખવાથી કારણ વગરના ખર્ચા થાય છે.
ઘરમાં ટપકતો નળ રાખવાથી કારણ વગરના થાય છે ખર્ચા
તમારા ઘરમાં ખુશી લાવવી છે તો આ નિયમોનુ રાખો ધ્યાન
નાની-નાની ભૂલો બાદમાં ભારે પડી શકે છે
ઘરના નળમાંથી પાણી ટપકતુ હોય તો તાત્કાલિક સારું કરાવો
વાસ્તુ શાસ્ત્રમાં નિયમોને ધ્યાનમાં રાખીને આપણે પોતાના જીવનમાં ખુશી લાવી શકીએ છીએ. પરંતુ તેના માટે આપણે અમુક વાતોનુ ધ્યાન રાખવુ પડશે. ઘણી વખત આપણા ઘરના નળમાંથી પાણી થોડુ-થોડુ ટપકતુ રહે છે. પરંતુ થોડુ ઓછુ ટપકતા રહેવાના કારણે આપણે ધ્યાન આપી શકતા નથી. આ નાની-નાની ભૂલો બાદમાં ભારે પડી જાય છે.
ઘરનો ટપકતો નળ કારણ વગરના ખર્ચાનુ સૂચક છે
વાસ્તુ મુજબ જો ઘરના કોઈ પણ ભાગમાં નળ ટપકે છે તો તેને સારું મનાતુ નથી. ઘરનો ટપકતો નળ કારણ વગરના ખર્ચાનુ સૂચક છે અને ખાસ કરીને જો ઘરની રસોઈનો નળ ટપકે છે તો આ વધુ ખરાબ છે. કારણકે રસોઈમાં અગ્નિનો નિવાસ હોય છે અને જ્યાં આગ અને પાણી એકસાથે હોય ત્યાં પરેશાની શરૂ થાય છે.
જેનાથી ઘરનો કોઈ સભ્ય બિમાર થઇ શકે છે, વેપારમાં નુકસાન અથવા કોઈ તૂટ-ફૂટમાં પૈસા જઇ શકે છે. આ સાથે પાણી કારણ વગર વહેવાથી વરૂણ દેવનો દોષ પણ લાગે છે અને ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે. અંતમાં આ પ્રકારની પરેશાનીઓથી બચવા માટે ઘરમાં ટપકતા નળને તાત્કાલિક રિપેર કરાવી દો.