વાસ્તુ શાસ્ત્રમાં ભોજન સાથે જોડાયેલ કેટલાંક ખાસ નિયમ જણાવવામાં આવ્યાં છે. માનવામાં આવે છે કે આ નિયમોનુ પાલન ના કરવાનો પ્રભાવ ઘરની આર્થિક સ્થિતિ પર પડે છે. આવો જાણીએ ભોજન સાથે જોડાયેલા નિયમ.
નવા વર્ષમાં નાણાની કમી ના રહે તેવુ ઈચ્છો છો?
ભોજન કરતી સમયે ન કરો આ ભૂલ
વાસ્તુ શાસ્ત્રમાં ભોજન સાથેના નિયમોનુ કરો પાલન
જાણો, વાસ્તુ શાસ્ત્રમાં ભોજન સાથે જોડાયેલા ખાસ નિયમ
વાસ્તુ શાસ્ત્ર સકારાત્મક અને નકારાત્મક ઉર્જા પર આધારિત છે. સકારાત્મક ઉર્જા ઘરમાં સુખ-સમૃદ્ધી લાવે છે જ્યારે નકારાત્મક ઉર્જા જીવનમાં અનેક પ્રકારની પરેશાની લાવે છે. વાસ્તુ શાસ્ત્રમાં ભોજન સાથે જોડાયેલા કેટલાંક નિયમ જણાવવામાં આવ્યાં છે. માનવામાં આવે છે કે આ નિયમોનુ પાલન ના કરવાની અસર સ્વાસ્થ્ય પર પડે છે. આ સાથે આ નિયમોના ઉલ્લંઘનથી માં લક્ષ્મી પણ નારાજ થાય છે.
ભોજન સાથેના વાસ્તુ નિયમ
ભોજન હંમેશા બેસીને અને હાથ-પગ ધોઈને કરવુ જોઈએ. આ રીતે ભોજન કરવુ શુભ માનવામાં આવે છે અને દેવતાઓનો આશીર્વાદ રહે છે. જો તમારી પસંદનુ ભોજન નથી તો પણ અન્નનો અનાદર ના કરવો જોઈએ. જેનાથી અન્નનુ અપમાન થાય છે. જો રૂચિ ના હોય અથવા ભોજન પસંદ ના હોય તો અન્નને પ્રણામ કરીને ક્ષમા માંગી લો.
ભોજન હંમેશા શાંતિમાં અને અવાજ કર્યા વગર કરવુ જોઈએ. અવાજ કરીને ભોજન કરવુ અપશુગન માનવામાં આવે છે. જેનાથી ઘરમાં ક્યારેય લક્ષ્મીનો વાસ પણ થતો નથી. થાળીમાં જેટલુ ખાઈ શકો તેટલું જ ભોજન લો. ક્યારેય પણ ભોજન બરબાદ ના કરો.
જો તમે ટેબલ અથવા ખુરશી પર બેસીને ભોજન જમી રહ્યાં છો તો આ વાતનુ ધ્યાન રાખો કે ક્યારેય પણ પગને હલાવશો નહીં. આમ કરવાથી અન્નનુ અપમાન થાય છે અને ઘરમાં નકારાત્મક શક્તિઓનો વાસ થાય છે. ભોજન ક્યારેય પણ જલ્દબાજીમાં ના કરવુ જોઈએ. આમ કરવાથી ભોજન પ્રેતયોનિમાં જતુ રહે છે, એટલેકે ભોજન શરીરને મળતુ નથી. ભોજનને હંમેશા આરામથી ચાવીને ખાવુ જોઈએ.
ક્યારેય પણ પલંગ પર બેસીને, ઊંઘીને, હાથમાં થાળી લઇને અથવા પછી ઉભા થઇને ભોજન ના કરવુ જોઈએ. આમ કરવાથી અન્ન દેવતાનુ અપમાન થાય છે. જો તમે જમીન પર બેસીને ભોજન જમી રહ્યાં છો તો થાળીને હંમેશા ચોકી અથવા આસન પર રાખો, પછી ભોજન કરો. ક્યારેય પણ જમીન પર થાળી ના રાખશો.
ભોજન કરતી સમયે ક્યારેય પણ અધવચ્ચે ના ઉઠવુ જોઈએ. અધવચ્ચે ઉઠીને ફરીથી એઠૂ ખાવુ દેવી અન્નપૂર્ણાનુ અપમાન માનવામાં આવે છે. જેનાથી ભોજન શરીરને મળતુ નથી. તેથી કેટલું જરૂરી કામકાજ કેમ ના હોય. પરંતુ ભોજન પુરૂ કર્યા બાદ જ ઉઠો.