આજના સમયમાં દરેક માણસની ઈચ્છા હોય છે કે તે અમીર અને સફળ વ્યક્તિ બને. પરંતુ ઘણી વખત સખત પરિશ્રમ કર્યા બાદ પણ માણસ સફળ થઇ શકતો નથી.
અમીર બનવા માટે મહેનતની સાથે-સાથે ભાગ્યનુ હોવુ જરૂરી
તિજોરી અથવા કબાટમાં થોડા રૂપિયા ફરજીયાત મુકવા જોઈએ
તિજોરીમાં આ વસ્તુઓને પણ રાખી શકો છો
લક્ષ્મીને પ્રસન્ન રાખવા તિજોરીમાં આ વસ્તુ મુકી શકો
વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્ર મુજબ કોઈ માણસ અમીર બનવા માટે મહેનતની સાથે-સાથે ભાગ્યનુ હોવુ જરૂરી છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં તિજોરી બધાના ઘરે હોય છે. પરંતુ તેને લોકો ખાલી મુકી દે છે. પરંતુ આવુ બિલ્કુલ ના કરવુ જોઈએ. તિજોરી અથવા કબાટમાં થોડા રૂપિયા ફરજીયાત મુકવા જોઈએ. આ સિવાય તિજોરીમાં આ વસ્તુઓને પણ રાખી શકો છો. જેનાથી હંમેશા ઘરમાં આવક થશે. જાણો કઈ વસ્તુઓ તિજોરી અથવા કબાટમાં રાખવાથી માં લક્ષ્મી પ્રસન્ન રહેશે.
કુબેર યંત્ર
શાસ્ત્રોમાં કુબેર યંત્રને સમૃદ્ધી રૂપે જણાવવામાં આવ્યું છે. જેના કારણે દિવાળીના દિવસે કુબેર યંત્રની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. આ રીતે કોઈ શુભ મૂહૂર્તમાં કુબેર યંત્ર લાવીને વિધિપૂર્વક પૂજા કરવાથી તિજોરી અથવા કબાટમાં કુબેર યંત્ર રાખી લો. જેનાથી તમારા ઘરમાં ક્યારેય નાણાની અછત સર્જાશે નહીં. કુબેર યંત્ર સિવાય તમે શ્રી યંત્ર રાખી શકો છો.
કમળનુ ફૂલ
માં લક્ષ્મીને પ્રિય ફૂલોમાંથી એક કમળ માનવામાં આવે છે. તેથી માં લક્ષ્મીને કમળનુ ફૂલ આવશ્ય અર્પિત કરવુ જોઈએ. આ સાથે એક તાજુ કમળનુ ફૂલ તિજોરીમાં મુકી દો. જેનાથી નાણાનુ આગમન શરુ થઇ જશે. કમળનુ ફૂલ રાખીએ તો આ વાતનુ ધ્યાન રાખો કે જેવુ કમળનુ ફૂલ સુકાઈ જાય તેવુ તેને બદલી નાખો.