વાસ્તુ શાસ્ત્ર મુજબ દરેક ખૂણાનું તથા દિશાનું છે મહત્વ, ઘરમાં જો શૌચાલય ખોટી જગ્યાએ હશે આર્થિક રીતે અનુભવશો તંગી
ઘરમાં શૌચાલય કઇ દિશામાં હોવુ જોઇએ
વાસ્તુ શાસ્ત્રમાં કરવામાં આવ્યો છે ઉલ્લેખ
ખોટી દિશામાં હશે શૌચાલય તો આર્થિક તંગી આવશે
વાસ્તુ શાસ્ત્રમાં દરેક કાર્ય માટે અલગ અલગ દિશાઓ વિશે કહેવામાં આવ્યુ છે. જેમ પૂજા માટે ઉત્તર-પૂર્વ દિશા શ્રેષ્ઠ માનવામાં આવે છે, તેવી જ રીતે અન્ય કાર્યો માટે પણ વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે આવો જાણીએ વાસ્તુશાસ્ત્ર અનુસાર આપણે ઘરની કઈ દિશામાં શૌચાલય ન બનાવવુ જોઇએ.
વાસ્તુશાસ્ત્રમાં 5 તત્વોનો ઉલ્લેખ
વાસ્તુશાસ્ત્રમાં 5 તત્વોનો ઉલ્લેખ છે. જેમાં અગ્નિ, વાયુ, જળ, આકાશ અને પૃથ્વીનો સમાવેશ થાય છે. વાસ્તુશાસ્ત્રના નિષ્ણાતો માને છે કે આ 5 તત્વોનું સંતુલન ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો આ તત્વોનું સંતુલન ન બને તો ઘરમાં અનેક પ્રકારના વાસ્તુ દોષો ઉત્પન્ન થાય છે.
શૌચાલય આ દિશામાં ન હોવું જોઈએ
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉત્તર-પૂર્વ દિશામાં આવેલ ઘર કુબેરનું સ્થાન છે. ત્યાં, કોઈપણ પ્રકારની ખોટી ઉર્જા આર્થિક પ્રગતિને અવરોધે છે. આવી સ્થિતિમાં ઘરમાં પૈસા આવવાનું બંધ થઈ જાય છે. વાસ્તુશાસ્ત્રના નિષ્ણાતોનું માનવું છે કે ત્યાં ભૂલીને પણ શૌચાલય ન બનાવવું જોઈએ. ઘણી વખત ઉત્તર-પૂર્વ દિશામાં જૂતા અને ચપ્પલ અથવા કોઈપણ ભારે ફર્નિચરની વસ્તુઓ રાખવામાં આવે છે જે વાસ્તુ અનુસાર યોગ્ય નથી. જો એમ હોય, તો તેમને તાત્કાલિક દૂર કરવા જોઈએ.
ઉત્તર-પૂર્વ દિશા સ્વચ્છ રાખો
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉત્તર-પૂર્વ દિશા એકદમ સ્વચ્છ રાખવી જોઈએ. જેથી ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે. આ સ્થાન પર અરીસો અથવા કુબેર યંત્ર મૂકી શકાય છે. આ સિવાય જો ઘરની ઉત્તર દિશામાં દિવાલ હોય તો તે જગ્યાએ અરીસો રાખી શકો છો. વાસ્તવમાં આવું કરવાથી ઘરમાં આર્થિક પ્રગતિની તકો ઉભી થાય છે.