સુખી અને સમૃદ્ધ જીવન મેળવવા માટે વાસ્તુશાસ્ત્રના કેટલાક નિયમો ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે. ઘરમાં વાસ્તુકળાના કેટલાક પાયાના નિયમોનું પાલન કરવામાં આવે તો ઘણો લાભ મળી શકે છે.
ઘરમાં વાસ્તુદોષનું રાખો ધ્યાન
ઘરની હમેંશા સફાઈ રાખો
વાસ્તુકલાના નિયમોનું પાલન કરો
સુખી અને સમૃદ્ધ જીવન મેળવવા માટે વાસ્તુશાસ્ત્રના કેટલાક નિયમો ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે. ઘરમાં વાસ્તુકળાના કેટલાક પાયાના નિયમોનું પાલન કરવામાં આવે તો ઘણો લાભ મળી શકે છે. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા અને સુખ સમૃદ્ધિ વધે છે. આવો જાણીએ આવા જ કેટલાક સરળ નિયમો વિશે.
પૂજા ઘર :
ઘરના લોકોની માનસિક શાંતિ, સકારાત્મકતા અને પ્રગતિ માટે પૂજાઘર હંમેશા ઘરની ઉત્તર-પૂર્વમાં એટલે કે ઇશાન ખૂણામાં રહેવું જોઈએ. કારણ કે તે દેવતાઓનું સ્થાન છે. સાથે જ ધ્યાન રાખો કે પૂજા ઘરની ઉપર અને નીચે સીડી, શૌચાલય કે કિચન ન હોવું જોઈએ.
સ્વચ્છતા :
ઘરમાં હંમેશા સ્વચ્છતા રાખો કારણ કે ઘરમાં કરોળિયાના જાળા, ધૂળ અને ગંદકી અનેક વાસ્તુશિલ્પીય ખામીઓ પેદા કરે છે. ઘરના બાથરૂમને હંમેશા સાફ રાખો.
ઘરનો મુખ્ય દરવાજો :
ઘરનો મુખ્ય દરવાજો હંમેશા સાફ હોવો જોઈએ, તેમજ દરવાજા પણ સારી સ્થિતિમાં હોવા જોઈએ. તેમને ખોલતી કે બંધ કરતી વખતે અવાજ ન કરતો હોવો જોઈએ. તેમનો રંગ પણ ઉડી ગયો ન હોય તેનું ધ્યાન રાખો.
સવાર-સાંજ કપૂર સળગાવો :
ઘરમાં સવાર-સાંજ કપૂર સળગાવવાથી અનેક વાસ્તુદોષોનો નાશ થાય છે. માટે આ ઉપાય રોજ કરો. તેનાથી ઘરમાં સકારાત્મકતા અને સુખ-સમૃદ્ધિ રહે છે.
ઊંઘની દિશા :
ક્યારેય પણ દક્ષિણ દિશા તરફ પગ રાખીને સૂવું નહીં. આમ કરવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. માથું દક્ષિણ દિશા તરફ રાખવું સારું છે.