નોરતામાં માં દુર્ગાની મૂર્તિનુુ સ્થાપન કરી રહ્યાં છો તો વાસ્તુ મુજબ કઈ દિશામાં મૂર્તિ કઈ દિશામાં રાખવુ યોગ્ય ગણાશે. આ જાણવુ ખૂબ જરૂરી છે. કારણકે ખોટી દિશામાં મૂર્તિ રાખવાથી પૂજાનુ ફળ પ્રાપ્ત થશે નહીં.
નોરતામાં આ દિશામાં માં દુર્ગાની મૂર્તિનુ કરો સ્થાપન
ખોટી દિશામાં મૂર્તિ રાખશો તો પૂજાનુ ફળ પ્રાપ્ત થશે નહીં
યોગ્ય દિશામાં મૂર્તિ રાખવાથી માતાજીનો આશીર્વાદ પ્રાપ્ત થશે
હિન્દુ ધર્મમાં નવરાત્રીનુ વધુ મહત્વ છે. નવરાત્રી દરમ્યાન માં દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. જો તમે આ વર્ષે માં દૂર્ગાની મૂૂર્તિનુ સ્થાપન કર્યુ છે તો અમુક વાસ્તુ નિયમ જાણી લો જેનાથી માં દુર્ગાનો સંપૂર્ણ આશીર્વાદ પ્રાપ્ત થાય.
દેવી માંની મૂર્તિ સ્થાપન કરતી વખતે ધ્યાનમાં રાખો આ વાસ્તુ નિયમ
આ દિશામાં માં દુર્ગાની મૂર્તિનુ સ્થાપન કરો
વાસ્તુ શાસ્ત્ર મુજબ માં દુર્ગાની મૂર્તિનુ સ્થાપન કરતી વખતે દિશાનુ અવશ્ય ધ્યાન રાખવુ જોઈએ. માંની મૂર્તિ ઉત્તર-પૂર્વ દિશા (ઈશાન ખૂણો)માં સ્થાપિત કરો. આ દિશામાં સ્થાપન કરવાથી શારીરિક અને માનસિક શાંતિ મળે છે.
તો ઈશાન ખૂણામાં જગ્યા નથી તો ઉત્તર અથવા પછી પશ્ચિમ દિશામાં માં દુર્ગાની મૂર્તિનુ સ્થાપન કરી શકો છો. એવામાં જ્યારે ભક્ત માંની પૂજા કરે છે તો તેનુ મોંઢૂ પૂર્વ અથવા દક્ષિણ દિશા તરફ હોવુ જોઈએ. પૂર્વ દિશા તરફ મોંઢૂ હોવાથી ચેતના જાગૃત થાય છે અને દક્ષિણ દિશા તરફ મોંઢૂ હોવાથી માનસિક શાંતિ મળે છે.
આ દિશામાં ન મુકશો માં દુર્ગાની મૂર્તિ
વાસ્તુ શાસ્ત્ર મુજબ માં દુર્ગાની મૂર્તિ ક્યારેય પણ દક્ષિણ દિશા તરફ સ્થાપિત ન કરવી જોઈએ. કારણકે આ દિશા યમરાજની દિશા કહેવાય છે. આ સાથે દિશાથી સૌથી વધુ નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. એવામાં આ દિશામાં મૂર્તિનુ સ્થાપન કરવાથી સુખ-શાંતિની હાનિ થશે.