ઘરમાં લગાવવામાં આવેલી ઘોડાની તસ્વીર જો એકની જગ્યાએ સાત ઘોડાવાળી હોય તો વધુ સારું રહે છે. શાસ્ત્રોમાં સાત અંકને શુભ માનવામાં આવ્યો છે. સાત અંક સાર્વભૌમિક છે, પ્રાકૃતિક છે.
ઘરમાં લગાવો દોડતા સાત ઘોડાની તસ્વીર
શાસ્ત્રોમાં સાત અંકને મનાય છે શુભ
ઘરમાં લગાવવાથી આવે છે પોઝીટીવ એનર્જી
તમારા કામની સ્પીડ પણ વધે છે
સુર્ય દેવના રથના સાત ઘોડા હોય છે, જે હંમેશા ગતિશીલ પ્રતિત થાય છે. ઈન્દ્રધનુષના રંગ સાત હોય છે, આકાશમાં સપ્ત ઋષિ હોય છે, લગ્નમાં સાત ફેરા, સાત જન્મોના સાથની વાત હોય છે, તેથી 7 નંબર લકી હોય છે. દરિયા કિનારે દોડતા સાત ઘોડાની તસ્વીર ઘરમાં લગાવવાથી પોઝીટીવ એનર્જી આવે છે અને તેનાથી તમારા કામની ગતિ પણ વધે છે.
બિઝનેસની પ્રગતિ માટે ખૂબ લાભદાયક થશે સિદ્ધ
ઘરની સાથે-સાથે આ તસ્વીરને તમારી ઑફિસમાં પણ લગાવી શકો છો. આ તમારા બિઝનેસની પ્રગતિ માટે ખૂબ લાભદાયક સિદ્ધ થશે.