વાસ્તુ શાસ્ત્ર મુજબ આપણે બધી વસ્તુઓ ભલે એકબીજા સાથે શેર કરી લઇએ પરંતુ 5 વસ્તુઓ ક્યારેય પણ શેર ના કરવી જોઈએ. આમ કરવાથી આપણે જીવનમાં મોટુ નુકસાન ઉઠાવવુ પડે છે.
જીવનમાં આ 5 વસ્તુઓ ક્યારેય પણ એકબીજા સાથે શેર ન કરતા
નહીંતર ઉઠાવવુ પડશે મોટુ નુકસાન
આ વસ્તુઓ શેર કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે
આ 5 વસ્તુઓ ક્યારેય પણ એકબીજા સાથે શેર ના કરવી જોઈએ
આપણને બાળપણથી જ એકબીજા સાથે વસ્તુઓને શેર કરવાનુ શિખવાડવામાં આવે છે. હકીકતમાં આ એક સારી આદત છે અને તેમાં કોઈ બુરાઈ પણ નથી. જો કે, વાસ્તુ શાસ્ત્ર મુજબ આપણે બધી વસ્તુઓ ભલે એકબીજા સાથે શેર કરી લઇએ પરંતુ 5 વસ્તુઓ ક્યારેય પણ શેર ના કરવી જોઈએ. આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધી જાય છે, જેનાથી પરિવારમાં આર્થિક તંગી, બિમારી અને ઝગડાનો દોર શરૂ થાય છે. આવો જાણીએ એવી કઈ 5 વસ્તુઓ છે, જેને ક્યારેય પણ શેર ના કરવી જોઈએ.
બીજાના બૂટ-ચપ્પલ ના પહેરતા
વાસ્તુ શાસ્ત્ર મુજબ આપણે ક્યારેય પણ બીજાના બૂટ-ચપ્પલ માંગીને પહેરવા ના જોઈએ. આમ કરવુ અશુભ માનવામાં આવે છે. શાસ્ત્રો મુજબ શનિનો વાસ મનુષ્યના પગમાં હોય છે. એવામાં જો આપણે બીજાના બૂટ-ચપ્પલ પહેરીએ છીએ તો શનિનો પ્રકોપ આપણી પર હાવી થાય છે. આમ કરવાથી ઘરમાં દરિદ્રતા અને દુ:ખ આવે છે.
ઘડિયાળ ઉધાર માંગવી હોય છે અશુભ
વાસ્તુવિદો મુજબ આપણે ક્યારેય પણ બીજાની ઘડિયાળ માંગીને ન પહેરવી જોઈએ. કારણકે ઘડિયાળ સમય તો બતાવે છે, પરંતુ તેની સાથે માણસના જીવનમાં આવતો સારો સમય અને ખરાબ પણ જોડાયેલો હોય છે. એવામાં જો કોઈ માણસનો ખરાબ સમય ચાલી રહ્યો હોય અને તમે તેની ઘડિયાળ માંગીને પહેરો તો તેનો પ્રભાવ તમારા જીવન પર પડી શકે છે.
મિત્રોની વીંટી ના પહેરશો
તમારે ક્યારેય પણ બીજાની વીંટી પોતાની આંગળીમાં ન પહેરવી જોઈએ. હકીકતમાં પછી તે વીંટી હોય કે રત્ન- ધાતુ, આ કોઈના કોઈ ગ્રહ અથવા રાશિ સાથે સંબંધિત હોય છે. તેથી જો તમે બીજાની વીંટી અથવા રત્ન ધારણ કરો છો તો તેની વિપરીત અસર તમારા જીવન પર પણ પડી શકે છે.
પેન ઉધાર લો તો પાછી આપી દો
તમે ઘણી વખત બેંક અથવા બીજા સ્થાનો પર જઇને વારંવાર બીજા પાસેથી પેન માંગો છો અને બાદમાં તેને પરત આપવાનુુ ભૂલી જાઓ છો. વાસ્તુ શાસ્ત્ર મુજબ આ એક ખોટી રીત છે. આ પેન અથવા કલમથી બીજા વ્યક્તિનુ નસીબ પણ જોડાયેલુ હોય છે. એવામાં જો તે વ્યક્તિના જીવનમાં ખરાબ સમય ચાલી રહ્યો છે અને તમે અજાણતા તેની પેન લઇને પોતાની પર આફત ચઢાવી લો છો.
બીજાના કપડા ના પહેરશો
મિત્રો અને પરિવારજનોમાં અવાર-નવાર કપડાં બદલવા સામાન્ય વાત છે. જો કે, વાસ્તુ શાસ્ત્રનુ કહેવુ છે કે તમારે આમ ના કરવુ જોઈએ. કારણકે કપડા બદલવાથી માણસના શરીરનુ ઈન્ફેક્શન બીજા વ્યક્તિમાં પણ પહોંચી શકે છે.