ઘર બનાવતી વખતે વાસ્તુના સિધ્ધાંતોની સાથે તેમાં રાખવામાં આવેલ વસ્તુઓના સંયોજનનું ખાસ મહત્વ રહેલુ છે. જે સ્થળે ઘરની વસ્તુ રાખવામાં આવેલ હોય તે દિશાનું પણ ખાસ મહાત્મય રહેલ છે. ત્યારે આજે અમે આપને એવી વસ્તુઓ વિશે જણાવીશું જે યોગ્ય દિશામાં રાખવાથી ફાયદો થઇ શકે છે.
આપને જણાવી દઇએ કે ઘરની દક્ષિણ દિશામાં અમુક પ્રકારની વસ્તુઓ રાખવાથી તેની સીધી અસર પરિવારના સભ્યો પર થાય છે. ઘરની દક્ષિણ દિશામાં ભૂલથી પણ ઘડિયાળ ના લગાડવી જોઇએ. કારણ કે આ દિશાને કાળની દિશા માનવામાં આવે છે. એક લોક માન્યતા મુજબ જે ઘરની દક્ષિણ દિશામાં ઘડિયાળ હોય તે ઘરની મુખ્ય વ્યક્તિ હંમેશા બિમાર રહે છે.
વાસ્તુ પ્રમાણે ઘરની દક્ષિણ દિશામાં ફ્રિઝ ના રાખવું જોઇએ. કારણ કે દક્ષિણ દિશામાં અગ્નિ તત્વ આવેલ હોય છે. ફ્રિઝ ખાસ કરીને દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખવામાં આવે છે.આપને જણાવી દઇએ કે ઘરની દક્ષિણ દિશામાં એવી કોઇ જ ચીજ ના રાખવી જોઇએ જેમાં તમે પૈસા રાખતા હોય. કારણ કે આવી દિશામાં તિજોરી કે અલમારી રાખવાથી પૈસાની તંગી કાયમ રહે છે.
ઉલ્લેખનીય છે કે ઘરની દક્ષિણ દિશામાં એક્વેરિયમ રાખવાને અશુભ માનવામાં આવે છે. ખાસ કરીને માછલીઘરને ઘરની દક્ષિણ દિશામાં રાખવાથી પરિવાર પર આફત આવી પડે છે.