ઘરમાં દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, દીવો પ્રગટાવવાથી સુખ-સમુદ્ઘિ અને શાંતિ આવે છે.
સામાન્ય રીતે હિંદુ પરિવારમાં સવાર-સાંજ બંને સમયે ભગવાનની સામે દિવો કરવાની પરંપરા છે, પરંતુ શુ તમે જાણો છે કે વાસ્તુમાં દીવો પ્રગટાવવા માટે અલગ-અલગ દિશા પસંદ કરવામાં આવી છે. અલગ-અલગ દિશામાં દીવો પ્રગટાવવાથી સમસ્યામાંથી મુક્તિ મળે છે. આ વિશે જાણીએ...
- જો તમે જીવનમાં સન્માનની કમી મહેસૂસ કરતા હોવ અથવા તો જીવન એકલાયુ લાગતુ હોય કે પછી સમાજમાં માન-સન્માન મેળવવુ હોય તો દક્ષિણ-પૂર્વ દિશામાં દરરોજ એક સાથે દીવો પ્રગટાવવો.
- ઑફિસમાં હોય કે કામ કરવાની કોઇ પણ જગ્યાએ એક દીવો અથવા તો મીણબત્તી પ્રગટાવશો તો ધન પ્રાપ્તિ વધશે અને સાથે જ સૌભાગ્યમાં વધારો થશે.
- ઘરમાં અઠવાડિયામાં ઓછામાં ઓછુ એક વખત કપૂરનો ધૂમાડો કરવો જોઇએ. આમ કરવાથી ઘરમાંથી વાસ્તુદોષ દૂર થાય છે અને સકારાત્મક ઉર્જા રહે છે.
- ઘરમાં અશાંતિ અને કંકાસ રહેતો હોય તો દીવાનો પ્રયોગનીસ સમસ્યા દૂર કરી શકો છો. એક વાટકીમાં પાણી લઇને તેમાં મીઠું ઉમેરો અને તેમાં મીણબત્તી તરતી મૂકીને સળગાવો.
- દીવાની જ્યોત પૂર્વ દિશા તરફ રાખવાથી આયુષ્ય વધે છે. જો દીપકની જ્યોતિ પશ્ચિમ તરફ હોય તો દુખ વધે છે. જો દીવાની જ્યોત ઉત્તર દિશા તરફ જાય તો ધનમાં વુદ્ઘિ થાય છે અને દક્ષિણ બાજુ જાય તો જાનમાલની હાનિ થવાની સંભાવના રહેલી છે.