જે જગ્યાએ આપણે રહીએ છીએ ત્યાંની ઉર્જા આપણા પર વધુ અસર કરે છે. તેથી ઘર, ઓફિસમાં વાસ્તુ દોષ ના હોવો જોઈએ. નહીંતર મોટુ નુકસાન ઉઠાવવુ પડે છે.
ઘર, ઓફિસમાં વાસ્તુ દોષ ના હોવો જોઈએ
નહીંતર ઉઠાવવુ પડે મોટુ નુકસાન
વાસ્તુ દોષને દૂર કરવા માટે કરો આ તાત્કાલિક ઉપાય
જો ઘરમાં નકારાત્મક ઉર્જા હશે તો પડશે મુશ્કેલી
આજુબાજુના માહોલમાં સકારાત્મક ઉર્જા હોય કે પછી નકારાત્મક ઉર્જા બંને તમારા પર અસર કરે છે. વાસ્તુ શાસ્ત્રનો સિદ્ધાંત આ ઉર્જાઓ પર આધારિત છે. વાસ્તુ શાસ્ત્રમાં નકારાત્મક ઉર્જાને સકારાત્મક ઉર્જામાં ફેરવવાની રીત જણાવવામાં આવી છે. આ સાથે અમુક નિયમ જણાવવામાં આવ્યાં છે. જેનુ પાલન કરવાથી ઘર, ઑફિસ અથવા કોઈ પણ જગ્યાને સકારાત્મકતાથી ભરી શકાય છે. ઉર્જાનો પ્રભાવ આપણા જીવનના દરેક પહેલુ પર પડે છે. જો ઉર્જા નકારાત્મક હોય તો તેના અસહ્નીય પરિણામ ભોગવવા પડે છે. આ સ્થિતિમાં આ વાસ્તુ દોષને દૂર કરવા માટે તાત્કાલિક ઉપાય કરવા જોઈએ.
નકારાત્મકતા અથવા વાસ્તુ દોષ હોવાના લક્ષણ
ઘર, ઑફિસ અથવા જે પણ જગ્યાએ તાજગી મહેસૂસ ના થાય તો આ વાસ્તુ દોષ થવાના લક્ષણ છે. એટલેકે સારી ઊંઘ લેવી, કોઈ પણ આરોગ્ય સંબંધી સમસ્યા સિવાય જો ચા-કૉફી પીધા બાદ થાક-નબળાઈ મહેસૂસ થાય તો આ જગ્યાએ નકારાત્મક ઉર્જા હોવાનો સંકેત છે.
ઘણા લોકોને કારણ વગર નોકરીમાં પ્રગતિ ના મળે, વ્યાપારમાં નુકસાન થવુ અને ત્યારબાદ પણ વ્યક્તિ કોઈ સાહસિક પગલું ના ઉઠાવે તો આ પણ વાસ્તુ દોષનુ લક્ષણ છે. વાસ્તુ દોષ વ્યક્તિના સાહસ-આત્મવિશ્વાસ પર ખરાબ અસર નાખે છે.
હંમેશા બિમાર રહેવુ પણ વાસ્તુ દોષની નિશાની હોઇ શકે છે. ઘરના સભ્યોનુ વારંવાર બિમાર રહેવુ વાસ્તુ દોષના લક્ષણ છે.
તમામ પ્રયાસો બાદ પણ ઘરમાં રૂપિયા ના ટકવા, આવક ના વધવી, પ્રગતિ ના થવી વાસ્તુ દોષના લક્ષણ છે. આવા લોકોના હાથમાંથી આવેલા અવસર પણ નિકળી જાય છે.
વારંવાર ધન હાનિ થવી અથવવા આર્થિક સ્થિતિ અંગે વારંવાર ઉતાર-ચઢાવ આવવા પણ વાસ્તુ દોષનો સંકેત છે.
ઘરમાં હંમેશા ઝગડા થવા, કારણ વગર લોકોમાં ચિડયાપણ હોવાની પાછળ વાસ્તુ દોષના કારણે ઉભી થયેલી નકારાત્મક ઉર્જા હોઇ શકે છે. ઘરમાં એકબીજાની સાથે ના બનવુ.