જો ભોજનમાં મીઠું ન હોય તો આખા ભોજનનો સ્વાદ બગડી જાય છે. પરંતુ શું તમે જાણો છો કે મીઠું માત્ર ભોજનનો સ્વાદ જ વધારતું નથી, તે તમારા જીવન પ્રભાવ પણ કરે છે. મીઠાના ઉપયોગથી તમે અનેક પ્રકારના દોષમાંથી છુટકારો મેળવી શકો છો.
મીઠુ વગર બગડે છે ભોજનનો સ્વાદ
મીઠુ તમારા જીવન પર પણ કરે છે અસર
આ ઉપાયથી મુશ્કેલીઓમાંથી મેળવો છુટકારો
ખૂબ મહેનત કરવા છતાં તમને કામમાં સફળતા નથી મળતી? તમામ પ્રયાસો છતાં સમસ્યાઓ આગળને આગળ આવીને ઉભી રહે છે? એવામાં જો આપણે વાસ્તુશાસ્ત્રમાં માનીએ તો તમારા ઘરના રસોડામાં રાખેલ મીઠું તમારા જીવનના સ્વાદને પણ વધારી શકે છે. વાસ્તુશાસ્ત્રના નિષ્ણાંતો માને છે કે મીઠું ઘણી સમસ્યાઓને ઘટાડે છે જેના માટે તમને કોઈ રસ્તો દેખાતો નથી. અહીં કેટલાક ખાસ ઉપાયો છે જે તમારા જીવનમાં ફરી ખુશીના દ્વાર ખોલી શકે છે.
આર્થિક સંકટમાંથી મળશે મુક્તિ
જો તમે પૈસાની કમીથી પરેશાન છો અથવા તમારા હાથથી કારણ વગરના પૈસા ખર્ચ થઈ જાય છે તો વાસ્તુશાસ્ત્રમાં બંને સમસ્યાઓના ઉકેલ માટે એક સરળ ઉપાય દર્શાવવામાં આવ્યો છે. તમારે માત્ર એક ગ્લાસ પાણી લેવાનું છે અને તેમાં મીઠું નાખીને ઘરના દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં રાખવાનું છે. બસ એટલું ધ્યાન રાખો કે જ્યાં ગ્લાસ રાખ્યો છે ત્યાં લાલ બલ્બ લગાવી દો. પાણી પુરૂ થઈ જવા પર તેને ફરીથી પાણીથી ભરો. આ રીતે તમને નાણાકીય સમસ્યાઓમાંથી મુક્તિ મળશે.
બાથરૂમમાં રાખો મીઠું, મળશે ખૂબ ફાયદા
વાસ્તુશાસ્ત્ર નિષ્ણાંતો કહે છે કે જો ઘરમાં બાથરૂમ સંબંધિત કોઈ વાસ્તુ દોષ હોય તો એક બાઉલમાં ક્રિસ્ટલ મીઠું મુકો. આ કરતી વખતે તમારે ફક્ત એટલું ધ્યાન રાખવું પડશે કે તમે જ્યાં પણ વાટકી રાખો છો, તમારો હાથ તેને સ્પર્શે નહીં. આ સાથે, સમયાંતરે મીઠું બદલવાનું ભૂલશો નહીં.
બગડેલા સંબંધ સુધારે છે મીઠું
ભોજનમાં મીઠું વધારે થઈ જાય તો ભોજનનો સ્વાદ ખરાબ થઈ જાય છે. પરંતુ વાસ્તુ શાસ્ત્ર અનુસાર મીઠાનો ઉપયોગ સંબંધમાં મધુરતા લાવવા માટે પણ થાય છે. તેના માટે એક વાટકીમાં મીઠું લઈને તેને બેડરૂમમાં મુકો. આમ કરવાથી સંબંધમાં સકારાત્મક્તા આવશે.