ઘરમાં છોડ, ઝાડ લગાવવાથી હરિયાળી આવે છે અને ઘરમાં લોકો હંમેશા સ્વસ્થ રહે છે. પરંતુ ઘણીવાર આપના દ્વારા લગાવવામાં આવેલા ઝાડ-છોડ સારા પરિણામ આપતા નથી, કેમકે તેમા વાસ્તુ દોષ હોય છે. અહીં જાણીએ વાસ્તુ અને છોડ વચ્ચે નો સંબંધ.
1) ઘરની પૂર્વ દિશામાં જો પીપળાનું ઝાડ-છોડ હોય તો ઘરમાં ભય અને નિર્ધનતા આવે છે.
2) ઘરની પૂર્વ દિશામાં વડનું ઝાડ હોય તો તમામ મનોકામના પૂર્ણ થાય છે.
3) ઘરની દક્ષિણ દિશામાં કાંટાવાળા છોડ-ઝાડ હોય તો ઘરમાં બીમારી આવે છે. ટ
4) ઘરની દક્ષિણ દિશામાં ગૂલરનું ઝાડ શુભ ફળદાયક હોય છે.
5) ઘરના પાછળના ભાગે અથવા દક્ષિણ તરફ ફળવાળા ઝાડ શુભ હોય છે.
6) ઘરની ઉત્તરમાં ગૂલર અથવા લીંબૂનું ઝાડ હોય તો આંખો સંબંધિત બીમારીઓ થાય છે.
7) પૂર્વ અને ઉત્તર દિશામાં ફળવાળા ઝાડ લગાવવાથી સંતા પીડા અને બુદ્ધિનો નાશ થાય છે.
8) તુલસીનો ઝોડ ઘરની પૂર્વ અથવા ઉત્તર દિશામાં રોપવો જોઇએ. અહીં તુલસીનો છોડ શુભ ફળ આપે છે.