વસંત મસાલા દ્વારા નવી અત્યાધુનિક ઉત્પાદન ક્ષમતાનો શુભારંભ થયો છે. 'વસંત મસાલા' ગુજરાત સહિત દુનિયાના દેશોના લોકોની પસંદ બની છે.
જાણિતી વસંત મસાલા કંપનીના નવા પ્લાન્ટનો શુભારંભ
ગાંધીનગર નજીક દહેગામમાં શરૂ કરાયો નવો પ્લાન્ટ
ભારતની અગ્રણી મસાલા ઉત્પાદક કંપની છે વસંત મસાલા
૫૨ વર્ષનો ઝીણવટભર્યો અનુભવ ધરાવતી ભારતની અગ્રણી મસાલા ઉત્પાદોની બ્રાન્ડ વસંત મસાલા દ્વારા ગુજરાતના પાટનગર ગાંધીનગર નજીક દહેગામ ખાતે પ્રદૂષણરહીત ક્ષેત્રમાં નવી ઉત્પાદન ક્ષમતા દ્વારા વસંત મસાલાના ઉત્કૃષ્ટ ઉત્પાદનોનો તાજેતરમાં શુભારંભ કરેલ છે.
અત્યાધુનિક ટેક્નોલોજી ધરાવે છે આ નવો પ્લાન્ટ
નવી ઉત્પાદન ક્ષમતા અત્યાધુનિક ટેકનોલોજી અને સ્વયંમ સંચાલિત પ્રક્રિયાઓ દ્વારા સજ્જ અને કોઇપણ પ્રકારના પ્રત્યક્ષ માનવીય હસ્તક્ષેપ વિના ભારતીય મસાલાની વિશાળ શ્રેણીઓનું ઉત્પાદન સફળતાપૂર્વક કરે છે.
દર મહિને 18 હજાર મેટ્રીક ટન મસાલા ઉત્પાદન કરવાની ક્ષમતા
નવીન ઉત્પાદન ક્ષમતામાં માસિક ૧૮૦૦૦ મેટ્રીક ટન ભારતીય મસાલા ઉત્પાદીત કરવાની ક્ષમતા ધરાવે છે. ઉત્કૃષ્ઠ ઉત્પાદનો બનાવવાની પ્રક્રિયામાં દરેક તબક્કે ગુણવતાના સખત માપદંડોને અનુસરે છે. આ માટે વસંત મસાલા દ્વારા અત્યાધુનીક સાધનો અને આધુનીક સુવિધા વિશ્વસ્તીરીય લેબોરેટરી નવીન ઉત્પાદન ક્ષમતામાં જ સ્થાપીત કરેલ છે અને તેનું સંચાલન અનુભવી નિષ્ણાંતો કરી રહયા છે. આ અત્યાધુનીક સુવીધા ધરાવતી લેબોરેટીમાં નિષ્ણાંત વિજ્ઞાનીકો દ્વારા મસાલા ઉત્પાદોની ગુણવતાને વધુ ઉત્કૃષ્ઠ બનાવવા સતત પ્રયત્ન કરવામાં આવે છે. જેમ કે, કાચા માલની રખરખાવ, શ્રેષ્ઠ ઉત્પાદન પ્રક્રિયા તેમજ ઉચ્ચ ગુણવતા ધરાવતા ઉત્પાદો તૈયાર કરવા નવીન ઉત્પાદન ક્ષમતા સંપૂર્ણ રીતે સ્વયંમ સંચાલીત હોવાના કારણે માનવ હસ્તરહિત અને જીવાણુંમુક્ત શ્રેષ્ઠ ઉત્પાદનો પ્રદાન કરવામાં મદદ કરે છે.
ક્વૉલિટીથી અગ્રેસર છે વસંત મસાલા
લાંબા સમય સુધી વસંત મસાલાના દરેક ઉત્પાદોમાં સ્વાદ, સુગંધ અને કુદરતી રંગ જાળવી રાખવા માટે મસાલાનો યોગ્ય તાપમાન અને અને આરોગ્યપ્રદ સ્થિતીમાં સંગ્રહ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. જે નિષ્ણાંત વ્યવસાયીકો દ્વારા સુનિશ્ચીત કરવામાં આવે છે.
શુદ્ધતા એ એક મહત્વનો ગુણધર્મઃ ચંદ્રકાંત ભંડારી
નવીન ઉત્પાદન ક્ષમતાના શુંભારંભે વસંત મસાલા પ્રાઇવેટ લિમીટેડના ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર ચંદ્રકાંત ભંડારીએ વધુ માહિતી આપતા જણાવ્યું કે “શુદ્ધતા એ એક મહત્વનો ગુણધર્મ છે” અને અમે શુધ્ધ અને પ્રાકૃતિક ભારતીય મસાલાઓ ગ્રાહકો સુધી પહોંચાડવા માટે પ્રતિબધ્ધ છીએ. કાચા માલની ખરીદીની પ્રક્રિયામાં વૈશ્વીક માપદંડોને અનુસરીને ૧૦૦ % પ્રાકૃતિક પ્રક્રિયાને અનુસરીએ છે. ઉદ્યોગ જગતમાં વસંત મસાલાના યોગદાનને પ્રતિષ્ઠીત ઔદ્યોગિક સંસ્થાઓ અને સરકારી સંસ્થાઓ દ્વારા માન્યતા પ્રાપ્ત થઇ છે. વસંત મસાલાને ASSOCHAM દ્વારા 'ધી બેસ્ટ હાઈજિન સલ્યુશન્સ' તેમજ ગુજરાત બ્રાન્ડ લીડરના અવોર્ડ પણ મળી ચૂક્યા છે.
વસંત મસાલાની નવીન ઉત્પાદન ક્ષમતા AGMARK, FSSAI, ISO, સ્પાઇસ બોર્ડ ઓફ ઇન્ડીયા, APEDA અને BRC સ્થાપીત માપદંડોને સુસંગત જરૂરી ઔદ્યોગિક માન્યતા અને પ્રમાણપત્રો સાથે પોતાની જાતને સુદ્રઢ રીતે પ્રસ્થાપીત કરી ઝડપી વિકાસની હરણફાળ ભરવા તૈયાર છે.
શુદ્ધ અને શ્રેષ્ઠ મસાલા ગ્રાહકો સુધી પહોંચાડી રહ્યા છીએઃ ચંદ્રકાંત ભંડારી
વસંત મસાલાનો ઉદ્દેશ્ય ગૃહિણીઓને પ્રમાણીત, સ્વાદિષ્ટ અને સ્વાસ્થયપ્રદ ભારતીય ભોજનને તૈયાર કરવા મદદરૂપ થવું અને રસોડાના અવિભાજ્ય સાથી બનવું. ચંદ્રકાંત ભંડારી (CMD)એ જણાવ્યું કે “શુદ્ધતા ઐસી, મમતા જૈસી” વસંત મસાલા બ્રાન્ડની ટેગ લાઇન પર વધુ પ્રકાશ પાડતા જણાવ્યું કે આ આદર્શને સર્મપિત કાર્યપધ્ધતી દ્વારા શુધ્ધ, સ્વાદિષ્ટ, સાત્વીક અને શ્રેષ્ઠ વસંત મસાલા ઉત્પાદો ગ્રાહકવર્ગ સુધી પહોંચાડી રહ્યા છીએ.
વસંત મસાલાએ 10 ગામોની માતાઓના પૂરક પોષણની જવાબદારી
વસંત મસાલા અસંખ્ય સામાજીક જવાબદારીઓ માટે પણ આગળ આવે છે, શુદ્ધતા અને સ્વાસ્થયના ગુણને આગળ વધારતા અને “સ્વસ્થ બાળક, સ્વસ્થ ભારત” બનાવવાના મિશન સાથે વસંત મસાલા દાહોદ જીલ્લાના ૧૦ ગામોની સર્ગભા માતાઓને પૂરક પોષણ પાડવાની જવાબદારી લીધેલ છે.
4 ગામોને પ્રદૂષણમુક્ત કરવા વસંત મસાલા સક્રીય
વધુમાં વસંત મસાલા તેની દહેગામ ખાતે આવેલ ઉત્પાદન ક્ષમતાની નજીકના ૪ ગામમાંથી પર્યાવરણને અનૂકૂળ થાય તે રીતે પ્લાસ્ટીક કચરાના સંગ્રહ અને નિકાલ માટે સક્રીય છે. આ ઉપરાંત પર્યાવરણને જાળવવા તેમજ સુધારવામાં યોગદાન આપવા નિયમિત વૃક્ષારોપણ અભિયાન પણ હાથ ધરવામાં આવે છે.
વસંતીબેન ભંડારીથી પ્રેરીત થઇને 'વસંત બ્રાન્ડ'ની થઇ હતી સ્થાપના
વસંત મસાલાના સ્થાપક સ્વર્ગસ્થ બાપુલાલ ભંડારીજીના ધર્મપત્ની વસંતીબેન ભંડારીથી પ્રેરીત થઇને “વસંત બ્રાન્ડ“ની સ્થાપના થઇ, સ્વર્ગસ્થ વસંતીબેન ભંડારી જીવનપર્યત સ્વચ્છતા અને શુદ્ધતાના આગ્રહી રહ્યા અને તેમના આજ આગ્રહે “શુદ્ધતા ઐસી, મમતા જૈસી”ના આદર્શને અપનાવવા પ્રેરીત કર્યા. વસંત મસાલાની સફર ૧૯૭૦માં શરૂ થઇ ત્યારે સ્વર્ગસ્થ શ્રી બાપુલાલ ભંડારી એ ગુજરાતના અંતરીયાળ ગામ ઝાલોદમાં વસંત ગૃહ ઉઘોગની શરૂઆત કરી છેલ્લા પાંચ દાયકાઓમાં વસંત મસાલા પાસે ૨૦૦થી વધુ સફળ વિતરકો અને ૪૦,૦૦૦થી વધુ રીટેલર્સનું નેટવર્ક છે, જે ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં લાખો પરિવારોનો વિશ્વાસ જીતી વસંત મસાલાના ઉત્કૃષ્ઠ ઉત્પાદોનું વેચાણ કરે છે. તેમના મુખ્ય ઉત્પાદોમાં રોજીંદા વપરાશના મસાલાઓ સ્વાદ વધારનારા બ્લેન્ડેડ મસાલા, આખા મસાલા તેમજ તેમના વિવિધ તેજાના પાવડર અને હિંગ જેવા અને ઉત્પાદો ગ્રાહકોના સ્વાદ અને જરૂરીયાતોને ધ્યાનમાં રાખી તૈયાર કરે છે. વસંત મસાલાના ઉત્કૃષ્ઠ ઉત્પાદનો અનેક વિદેશી બજારોમાં પણ તેની અજોડ ગુણવત્તાને કારણે ધૂમ મચાવે છે. આમ, ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને આફ્રિકા જેવા દેશોમાં વસંત મસાલાની નિકાસ થઈ રહી છે.