કચ્છઃ વાસણ આહિરે કચ્છમાં પોતાના વર્ચસ્વને લઇને દાવો કર્યો છે. PMના કાર્યક્રમમાં જનમેદનીને લઇને CM સાથે તેમણે સરખામણી કરી છે. પોતાના અને CMના વિસ્તારમાં મેદનીને લઇ સરખામણી કરી છે. તેમણે રાજકોટ કરતા અંજારની સભામાં વધુ મેદની હોવાની દાવો કર્યો છે. CMના ઘર આંગણે જ ખુરશીઓ ખાલી રહી હોવાનો વાસણ આહિરનો દાવો કર્યો છે.
જો કે કારોબારી બેઠકમાં મંત્રી વાસણ આહિરના સંબોધનનો વીડિયો વાયરલ થયો છે. જેને લઇને ભાજપમાં આંતરિક ખેંચતાણના દ્રશ્યો નજરે પડે છે.
મહત્વનું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ત્યારે પીએમ મોદીએ આણંદ કચ્છ અને ત્યારબાદ રાજકોટની મુલાકાત લીધી હતી.