વરુણ ધવન અને નતાશા દલાલના લગ્નને લઇને ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે વરુણના ફેન્સ માટે ખુશખબર આવ્યા છે. આ મહિને એટલે કે જાન્યુઆરીના અંતમાં વરુણ નતાશા સાથે સાત ફેરા લઇ લેશે. વરુણ-નતાશા ગયા વર્ષે જ લગ્ન કરવાના હતા પરંતુ કોરોના વાયરસને કારણે તેમણે લગ્ન 2021માં કરવાનું નક્કી કર્યું.
નતાશા-વરુણ કરશે આ મહિને લગ્ન
ઇન્ડસ્ટ્રીમાં ચાલી રહી છે વાતો
વરુણે ઇન્ટરવ્યૂમાં કર્યો ખુલાસો
વરુણ ધવન અને નતાશા દલાલના લગ્ન અલીબાગમાં થશે, જ્યાં તેમણે એક હોટલ પણ બૂક કરાવી લીધી છે. લગ્ન પંજાબી રીત રિવાજથી થશે. પિંકવિલાના રિપોર્ટ અનુસાર 200 લોકો લગ્નમાં હાજરી આપશે. હાલમાં જ વરુણ ધવન અલીબાગના ફાઇવ સ્ટાર હોટલમાં પહોંચ્યા હતા.
વરુણ અને નતાશા એક બીજાને વર્ષોથી ડેટ કરી રહ્યાં છે અને તહેવારો કે ફંક્શનમાં તેઓને ઘણી વાર સાથે પણ સ્પોટ કરાયા છે. કપલની ફોટો પણ સોશ્યલ મિડીયા પર વાયરલ થતી રહેતી હોય છે.
કૉફી વિદ કરનની સિઝન 6માં વરુણ ધવને ખુલાસો કર્યો હતો કે તે નતાશાને ડેટ કરી રહ્યો છે. તેણે હિંટ પણ આપી હતી કે તે ખુબ જલ્દી લગ્ન કરી શકે છે. વરુણે જણાવ્યું કે નતાશા સ્કુલના દિવસથી તેની સાથે છે અને ખુબ સપોર્ટીવ રહી છે. તે દરેક સારા-નરસા પ્રસંગોમાં તેની સાથે રહી છે.
એક્ટરે પહેલા પોતાના કરિયરની શરૂઆતમાં નતાશા સાથેની પોતાની રિલેશનશીપને લાઇમલાઇટમાં નહોતી આવવા દીધી પરંતુ સમય સાથે કપલ મોટાભાગની જગ્યાએ સ્પોટ થવા લાગ્યુ હતુ. તે વાતથી સાબિત થઇ ગયુ હતુ કે તે બંને રિલેશનશીપમાં છે.
વરુણ ધવને હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, બની શકે કે 2021માં તે નતાશા સાથેના પોતાના સંબંધને નેક્સ્ટ લેવલ પર લઇ જાય. વરુણે કહ્યું કે છેલ્લા બે વર્ષથી દરેક લોકો મારા લગ્નની વાત કરી રહ્યાં છે પરંતુ કંઇ જ ફિક્સ થયુ નથી. જ્યારે પરિસ્થિતિ સુધરશે ત્યારે લગ્ન કરવાનું વિચારીશ.
મહત્વનું છે કે, નતાશા દલાલ ફેશન ડિઝાઇનર છે અને 2013માં નતાશાએ ફેશન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી ન્યૂયોર્કથી તેનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. જે બાદ તેણે તે ક્ષેત્રમાં જ કામ શરૂ કર્યુ હતુ અને આજે ઇન્ડસ્ટ્રીમાં તેનું ખાસુ એવુ નાં છે. તેની એક ક્લોધિંગ બ્રાન્ડ છે અને બોલિવૂડના ટોચના કલાકારો તેની ડિઝાઇન્સને ખુબ પસંદ પણ કરે છે.