ઇરાદો મજબૂત હોવો જોઇએ, કામ તો બધા સરળ થઇ જાય. બસ આવી જ એક સફળતાની કહાની છે મહારાષ્ટ્રના વરુન બરનવાલની કે જે અત્યારે ભાવનગરના DDO છે. તેમના પિતાની સાઇકલ રિપેરિંગની દુકાન હતી જેનાથી તે આખા પરિવારનું ભરણ પોષણ કરતા હતા. તેમના પિતા બંને બાળકોને સારી લાઇફ આપવા માંગતા હતા પરંતુ માર્ચ 2006માં વરુણના 10મા ધોરણની પરિક્ષાના 4 દિવસ બાદ તે મૃત્યુ પામ્યા હતા. જેનાથી આખા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
એક ઓફિસરની અદભૂત કહાની
કોશિશ કરનેવાલો કી હાર નહી હોતી
સાઇકલ રિપેરિંગ કરીને બન્યા ઓફિસર
વરુણની બહેન ટીચર હતી અને તે ટ્યૂશન પણ કરાવતી હતી પરંતું તેટલા રૂપિયા આખો પરિવાર ચલાવવા માટે પૂરતા નહોતા એટલે વરુણ તેના પિતાનો ધંધો શરૂ કરવાનો નિર્ણય કર્યો. વરુણે તેનો અભ્યાસ વચ્ચે જ છોડીને સાઇકલ રિપેરિંગનો ધંધો શરૂ કરી દીધો.
વરુણની માતાએ દિકરાના અભ્યાસને વચ્ચે ન અટકવા દીધો અને દુકાન તેમણે પોતે ચલાવી વરુણને ભણવા માટે પ્રેર્યો. વરુણે પાસેની કોલેજમાં એડમિશન માટે તપાસ કરી પરંતુ 1000રૂપિયા ફી હતી જે વરુણનો પરિવાર ભરી શકે તેમ નહોતો માટે તેણે અભ્યાસ મુલતવી રાખ્યો.
થોડા દિવસ બાદ વરુણની દુકાને ડોક્ટર આવ્યા કે જેણે તેના પિતાની સારવાર કરી હતી, તેમણે વરુણના ભવિષ્યના પ્લાન્સ પૂછ્યા ત્યારે વરુણે પૈસાની તંગીના કારણે અભ્યાસ અધૂરો મૂક્યાની વાત કરી હતી. બાદમાં વરુણને એક કોલેજમાં એડમિશન મળ્યું કે જેની ફી માત્ર 650 રૂપિયા મહિનાની હતી પરંતુ આટલી ફી પણ તેમનો પરિવાર ભરી શકે તેમ નહોતો. વરુણ સવારે વહેલો ઉઠી જતો હતો તે કોલેજ જતો બાદમાં બપોરે ટ્યુશન લેતો અને રાત્રે તેની માતાની દુકાનમાં મદદ કરતો હતો. વધેલા સમયમાં તે અભ્યાસ કરતો હતો. તેણે તેની ઉંઘનુ પણ બલિદાન આપ્યું હતું.
12મા ધોરણ બાદ તેને તેનુ સપનુ પૂરુ કરવા માટે તક મળી અને તે મેડિકલ કોલેજમાં પ્રવેશ માટે ગયો પરંતુ મેડિકલ કોલેજની ફી તે ભરી શકે તેમ નહોતો માટે તેણે ઇજનેર બનવાનું નક્કી કર્યું. તે MIT પુણેમાંથી ગોલ્ડ મેડાલિસ્ટ બન્યો તેણે ટોપ કર્યુ અને સ્કોલરશીપ માટે અપ્લાય કર્યું. દરેક પ્રોસેસમાંથી નીકળ્યા બાદ તેને સ્કોલરશીપ મળી ગઇ.
2012માં વરુણ ગ્રેજ્યુએટ થઇ ગયો બાદમાં તેને નોકરી મળી અને 6 મહિના નોકરી બાદ તેણે UPSCની તૈયારી શરૂ કરવા માટે વિચાર્યું. તેના રૂમમેટ ભૂષણે એક કોટિંગ ક્લાસના શિક્ષક જોડે ભેટો કરાવી આપ્યો જેણે વરુણની ખૂબ મદદ કરી. એક એનજીઓએ પુસ્તકો આપીને વરુણની મદદ કરી હતી.
બાદમાં વરુણ બરનવાલ ગુજરાતના હિંમતનગરમાં આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે નિયુક્ત થયા, તે બાદ ભરુચમાં સિનિયર ટાઇમ સ્કેલ ઓફ IAS તરીકે બઢતી મળી અને હાલ તે ભાવનગરમાં DDO તરીકે ફરજ બજાવે છે, તેમની આ સ્ટ્રગલ કેટલાય યુવાનો માટે પ્રેરણા બની રહી છે.