ભારતીય જનતા પાર્ટીએ નવી રાષ્ટ્રીય કારોબારીની જાહેરાત કરી દીધી છે. જેમાં 80 સભ્યોનો સમાવેશ થયો છે. પણ કેટલાક સિનિયર નેતાઓને તેમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા.
ભારતીય જનતા પાર્ટીએ નવી રાષ્ટ્રીય કારોબારીની જાહેરાત કરી દીધી છે. જેમાં 80 સભ્યોનો સમાવેશ થયો છે.
જોકે તેમાંથી મેનકા ગાંધી અને વરુણ ગાંધીને નવી કારોબારીમાંથી પડતા મૂકવામાં આવ્યા છે.
અટકળો અનુસાર લખીમપુર ખેરીમાં થયેલી હિંસા બાદ વરુણ ગાંધી સતત યોગી અને મોદી સરકાર પર પ્રહારો કરી રહ્યા છે. આ જોતાં માતા મેનકા ગાંધી અને પુત્ર વરુણ ગાંધીને કારોબારીમાં સ્થાન આપવામાં આવ્યું નથી.
રાષ્ટ્રીય કારોબારીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, વરિષ્ઠ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી, એમએમ જોશી, કેન્દ્રીય મંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ જેવા અનેક દિગ્ગજ નેતાઓના નામ સામેલ છે.
ગુજરાતમાંથી પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, ભારતીબેન શિયાળ, અમિત શાહ, મનસુખ માંડવિયા અને નીતિન પટેલ સહિતના નેતાઓનો પણ સમાવેશ કરાયો છે. જોકે કેન્દ્ર ભાજપના દિગ્ગજ નેતા વરુણ ગાંધીને બાકાત રાખવામાં આવ્યા હતા. તાજેતરમાં તેઓ લખીમપૂર હિંસા મામલે કોમેન્ટ કરીને ભાજપમાં અળખામણાં થયા હતા.
ગૃહમંત્રી અમિત શાહ(સાંસદ)
પરશોત્તમ રૂપાલા(સાંસદ)
વિજય રૂપાણી(પૂર્વ મુખ્યમંત્રી)
નીતિન પટેલ (પૂર્વ નાયબ મુખ્યમંત્રી)
સી. આર પાટિલ(સાંસદ)
મનસુખ માંડવીયા(સાંસદ)
ભરતીબેન શિયાળ(સાંસદ)
રમિલાબેન બારા(સાંસદ)
ભુપેન્દ્ર પટેલ(મુખ્યમંત્રી)
રત્નાકર
સુધીર ગુપ્તા(સાંસદ)
ભાજપે જાહેર કરેલી રાષ્ટ્રય કારોબારીની જાહેરાતમાં મેનકા અને વરૂણ ગાંધીને સ્થાન મળ્યું નથી. મહત્વનું છે કે, લખીમપુર ખેરી હિંસા કેસમાં વરુણ ગાંધી સરકાર સામે અવાજ ઉઠાવી રહ્યા છે. રાષ્ટ્રીય કારોબારીમાં 80 નેતાઓ લેવામાં આવ્યા છે
લખીમપુર ઘટનામાં વરૂણ ગાંધીએ કરેલા સરકાર સામે દબાણ કરતાં પડતો મુકાયો
ગુરુવારે ભાજપની રાષ્ટ્રીય કારોબારીની જાહેરાત કરવાંમાં આવી છે. જેમાં ભાજપના વરિષ્ઠ નેતા એલ કે અડવાણી, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિતના ધણાં 80 નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો કે, આ લીસ્ટમાંથી મેનકા ગાંધી અને વરૂણ ગાંધીને જાકારો આપી દેવામાં આવ્યો છે . સુત્રોના જણાવ્યા અનુસાર લખીમપુર ખીરીમાં થયેલી હિંસા બાદ વરુણ ગાંધી સતત યોગી અને મોદી સરકારની વિરૂદ્ધ પલટવારો કર્યો હતો. જેને લઈને મેનકા ગાંધી અને વરૂણ ગાંધીનો કારોબારી સમિતિમાં બહાર કરી દેવામાં આવ્યો હતો.
યોગી સરકાર પર સતત આરોપો લગાવી રહ્યાં છે
પીલીભીત થી ભાજપના સાંસદ વરૂણ ગાંધી લખીમપુર ખીરી કાંડ પર દરરજો ટ્વિટ કરી યોગી સરકાર પર દબાવ બનાવી રહ્યાં છે. આજે પણ લખીમપુર ઘટના પર ટ્વિટ કરીને પોતાની જ સરકારને આડે હાથ લીધા હતાં. વરૂણ ગાંધીને લખ્યું કે, આ વિડીયો બિલકુલ કાચ જેવો સાફ છે. પ્રદર્શનકારી મર્ડર કરીને તેમને ચુપ નહી કરાવી શકાય નિદોર્ષ ખેડૂતોનું લોહી વહાવીને આ ઘટના જવાબદારી નક્કી કરવી પડશે