ભગવાન શ્રી વિઠ્ઠલના ભક્તોની પ્રમુખ સંસ્થા રાષ્ટ્રીય વારકરી પરિષદે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના (NCP) અધ્યક્ષ શરદ પવાર પર હિંદુ વિરોધી હોવાનો આરોપ લગાવતા તેમનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.
વારકરી પરિષદે શરદ પવારને હિંદુ વિરોધી કહ્યાં
મહારાષ્ટ્રમાં વારકરી પરિષદનું ખાસ્સો પ્રભાવ છે
વારકરી સમુદાયના કોઇ કાર્યક્રમમાં નહીં બોલાવામાં આવે
પરિષદની તરફથી જાહેર કરવામાં આવેલા પરિપત્રમાં વક્તે મહારાજે કહ્યું છે કે શરદ પવારને વારકરી સમુદાયના કોઇપણ કાર્યક્રમમાં આમંત્રિત ન કરવામાં આવે. જો કે એક અનુમાન મુજબ આ વિવાદ હજુ પણ વકરે તેવી શક્યતા છે.
રાષ્ટ્રીય વારકરી પરિષદના વક્તે મહારાજનું કહેવું છે કે શરદ પવાર હંમેશાથી હિંદુ ધર્મનો વિરોધ કરતાં આવ્યાં છે. ક્યારેક રામાયણ પર કટાક્ષ કરે છે. તેઓ કહે છે કે રામાયણની આવશ્યકતા નથી. પાડુંરંગની પૂજામાં ગેર હાજર રહે છે. શરદ પવાર નાસ્તિક મંડળને સમર્થન આપે છે.
એટલા માટે વારકરીના કોઇપણ કાર્યક્રમમાં શરદ પવારને બોલાવામાં ન આવે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં વારકરી પરિષદનું ખાસ્સો પ્રભાવ છે. વિશેષ રીતે મુંબઇ, પુણે, મરાઠવાડી અને વિદર્ભમાં વારકરી મોટી સંખ્યામાં છે. વક્તે મહારાજને 2018માં મહારાષ્ટ્ર સરકારે જ્ઞાનબા તુકારામ પુરસ્કારથી સન્માનિત કર્યાં હતા.
શું છે વારકરી સંપ્રદાય
વારકરી ભગવાન વિઠ્ઠલ (શ્રીકૃષ્ણ)-રૂકમણી ને માને છે. આ સંપ્રદાયના લોકો સોલાપુર જિલ્લાના પંઢરપુર મંદિરમાં સ્થાપિત ભગવાન વિઠ્ઠલની પરિક્રમા કરે છે અને સંયમિત જીવન વ્યતીત કરે છે. તેઓ ભજન-કિર્તન નામ સ્મરણ તથા ચિંતન આદીમાં સદાય લીન રહે છે.