વર્ષ 2019-20 માટે જુદીજુદી નાણાંકીય અને બિન નાણાંકીય સમિતિઓની રચના અંગેની જાહેરાત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ આજરોજ કરી હતી. આ જાહેરાત કરતા જૂનાગઢના પૂંજા વંશને જાહેર હિસાબ તથા બાબુભાઇ બોખીરીયાને જાહેર સાહસની સમિતિ અંગેની જવાબદારી સોંપવામાં આવી છે.
વિધાનસભાના અધ્યક્ષ રાજન્દ્ર ત્રિવેદીએ ગુજરાત વિધાનસભાના નિયમ 156 (1) અન્વયે આ સમિતિ પ્રમુખની વરણી અંગે પત્રક ભાગ 3માં પ્રસિદ્ધ કરીને નાણાંકીય અને બિન નાણાંકીય સમિતિઓની રચના પ્રસિધ્ધ કરવામાં આવી હતી.
કોને કઈ સમિતિ સોંપાઈ
રાજેન્દ્ર ત્રિવેદી - નિયમો માટેની સમિતિ અને ગ્રંથાલય સમિતિ (હોદ્દાની રૂએ)
પૂંજાભાઈ વંશ - જાહેર હિસાબ સમિતિ
ડો. નીમાબેન આચાર્ય - અંદાજ સમિતિ
રમણ પટેલ - પંચાયતી રાજ સમિતિ
રાધવજી પટેલ - બિનસરકારી સભ્યોના કામકાજ માટોની સમિતિ
બાબુભાઈ બોખીરીયા - જાહેર સાહસો માટેની સમિતિ
પૂર્ણેશ મોદી - ગૌણ વિધાન સમિતિ
વલ્લભ કાકડીયા - સરકારે આપેલી ખાતરીઓ માટેની સમિતિ
મોહન ઢોડિયા - અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિ
મહેશ રાવલ - સભાગૃહની બેઠકોમાંથી સભ્યોની ગેરહાજરી બાબતની સમિતિ
પ્રદીપ પરમાર - અનુસૂચિત જાતિઓના કલ્યાણ માટેની સમિતિ
મુકેશ પટેલ - સભાગૃહના મેજ ઉપર મુકાયેલા કાગળો માટેની સમિતિ
હર્ષ સંઘવી - સદસ્યનિવાસ સમિતિ