વાસ્તુશાસ્ત્ર, આયુર્વેદ અને જ્યોતિષ શાસ્ત્રમાં પણ આ વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વાસ્તુ પ્રમાણે મોર લાભદાયી અને શુભ છે. આજે અમે તમને જણાવીશું મોરપીંછ ઘરમાં લગાવવાથી થતા આર્થિક લાભ વિશે...
મોર દેશનું રાષ્ટ્રીય પક્ષી છે, તેના શિકાર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મોરના પીંછાને જોઇને એટલે કે મનમાં એક અલગ પ્રકારની સુંદરતાનો અનુભવ થાય છે. મોરપીંછની વાત કરીએ તો ભગવાન કૃષ્ણએ પણ તેને પોતાના મુગટ પર ધારણ કર્યુ છે. મોરપીંછ વગર શ્રીકૃષ્ણનું સ્વરૂપ અધૂરું છે. મોરપીંછમાં દિવ્યશક્તિઓનો વાસ હોય છે. વાસ્તુશાસ્ત્ર, આયુર્વેદ અને જ્યોતિષ શાસ્ત્રમાં પણ આ વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વાસ્તુ પ્રમાણે મોર લાભદાયી અને શુભ છે. આજે અમે તમને જણાવીશું મોરપીંછ ઘરમાં લગાવવાથી થતા આર્થિક લાભ વિશે...
- વાસ્તુ પ્રમાણે મોરપીંછને ફ્રેમમાં મઢાવીને ઘરમાં લગાવવાથી આર્થિક સ્થિતિ મજબૂત બને છે. ઘરની દિવાલો પર મોરપીંછ લગાવવાથી સુખ-સમુદ્ઘિ બની રહે છે. આર્થિક સમસ્યાઓનો સામનો પણ કરવો પડતો નથી.
- જ્યોતિષ પ્રમાણે મોરપીંછને ફ્રેમમાં મઢાવીને પૂજાઘરમાં દેવી-દેવતાઓને સાથે લગાવવાથી લાભ થાય છે. ભગવાન ગણેશ, સરસ્વતી માતા અને કૃષ્ણ ભગવાનની મૂર્તિની સાથે પૂજાઘરમાં મોરપીંછ રાખવા તે વધારે શુભ માનવામાં આવે છે.
- મોરપીંછને ઘરમાં લગાવવું તે આમ તો શુભ છે પરંતુ તેને યોગ્ય રીતે લગાવવાથી વધુ લાભ મળે છે. વાસ્તુ પ્રમાણે કૃષ્ણ ભગવાનનું નામ લઇને આ કામ શરૂ કરવુ જોઇએ. ફોટોફ્રેમની સાઈઝ પ્રમાણે ફ્રેમ લગાવો. એક જ સાઈઝના સાત મોરપીંછ લઇને ફ્રેમમાં લગાવવા જોઇએ. મોરપીંછને ઘરની પૂર્વ દિશામાં લગાવવુ જોઇએ. મોરપીંછને ક્યારેય સફેદ કે કાળા કલરની ફ્રેમમાં લગાવવુ નહીં.
- વાસ્તુ પ્રમાણે મોરપીંછ લગાવવાથી પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ યથાવત્ રહે છે. તમે ઈચ્છો છો તો ઘરના મુખ્ય રૂમમાં તમે મોરપીંછ લગાવી શકો છો, તેનાથી ઘરમાં સકારાત્મકતા આવે છે. બેડ નીચે મોરપીંછ રાખવાથી નકારાત્મકતા દૂર થાય છે.
- મોરપીંછને પ્રેમનું પ્રતીક પણ ગણવામાં આવે છે. બે મોરપીંછને બેડરૂમમાં લગાવવથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધે છે. કહેવાય છે કે કોઈ કપલ વચ્ચે ઝઘડાના કારણે અંતર વધવા લાગે તો તેણે આ ઉપાય કરવો જોઇએ. આમ કરવાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધે છે.
- વાસ્તુ પ્રમાણે ઘરની ઈશાન દિશામાં, મંદિરવાળી જગ્યા પર મોરપીંછ રાખવાથી તેનો લાભ જરૂરથી મળે છે. ઘરમાં ધન અને સુખની ક્યારેય ઉણપ નહીં આવે. ઘરમાં ભગવાનની પૂજાની સાથે મોરપીંછની પૂજા કરવાની શુભ માનવામાં આવે છે. જો ઘરમાં કોઈ વાસ્તુ દોષ છે જેનાથી ખરાબ નજર લાગી શકે છે તો ગણેશજીની પ્રતિમાને 3 મોરપીંછ સાથે ઘરના મુખ્ય દરવાજા પાસે લગાવો.
- તમારા ટૂ-વ્હીલરમાં પણ મોરપીંછ લગાવવાથી ફાયદો થશે, આમ કરવાથી દુર્ઘટના થવાની શક્યતા ઘટી જાય છે. સાથે જ કારમાં પણ મોરપીંછ લગાવવાથી ફાયદો થશે, આમ કરવાથી ઘરેથી હેતુ સાથે નીકળ્યા છે તેમાં પૂરી રીતે સફળતા મળવાની શક્યતા છે.
- વાસ્તુ પ્રમાણે ફ્રેમને સાફ કરતા રહો. મોરપીંછ ઘણા પ્રકારના આવે છે તેથી નકલી મોરપીંછ ઘરમાં ન લગાવી દો તેનું ખાસ ધ્યાન રાખવું. ક્યારેય મેલા હાથે મોરપીંછને અડવું નહીં. મોરપીંછ જમીન પર ન પડે તેનું ધ્યાન રાખવુ જોઇએ. કારણ કે તે પૂજનીય અને શુભ હોય છે તેથી તેની પૂજા અને આદર કરવો જોઇએ.