કેન્દ્ર સરકારના આ નિર્ણયથી શ્રમિકોની ઓછામાં ઓછી મજૂરીમાં વધારો થશે.
કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયે આ જાહેરાત કરી છે. શ્રમ અને રોજગાર મંત્રી સંતોષ ગંગવારે જણાવ્યું કે કેન્દ્ર સરકાર રેલવે, ખાણ, તેલ ક્ષેત્રો, મુખ્ય બંદરો કે કેન્દ્ર સરકારના કોઈ પણ નિગમ હેઠળ રોજગારી મેળવી રહેલા શ્રમિકોના વેરિએબલ મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે.
Rate of VDA has been revised for Central sphere workers.
This will benefit about 1.50 crore workers engaged in various scheduled employments in central sphere across the country.https://t.co/dyBGEHRuUZ
મોંઘવારી ભથ્થું 105 રુપિયાથી વધારીને 210 રુપિયા કરાયું
કેટલો વધારો કર્યો છે તે તો સરકારે જાહેર કર્યું નથી પરંતુ મીડિયા રિપોર્ટ અનુસાર મોંઘવારી ભથ્થાને દર મહિને 105 રુપિયાથી વધારીને 210 રુપિયા કર્યું છે જેને કારણે 1.5 કરોડ શ્રમિકોની દૈનિક મજૂરીમાં સીધો લાભ થશે.
1 એપ્રિલ 2021 થી લાગુ પડશે ફેસલો
મંત્રાલયે વેરિએબલે મોંઘવારી ભથ્થામાં કરેલો આ વધારો 1 એપ્રિલ 2021 થી લાગુ પડશે. આ સંબંધમાં મંત્રાલયે 21 મે ના રોજ આદેશ જારી કર્યો છે અને શ્રમ મંત્રીએ ટ્વિટર પર વીડિયો શેર કરીને જાણકારી આપી છે. તેમણે કહ્યું કે આ વધારોનો લાભ મજૂરોને તત્કાળ અસરથી મળશે. કોન્ટ્રાક્ટ પર કામ કરનાર દૈનિક મજૂરોને પણ લાભ મળશે.
केंद्र सरकार, रेलवे प्रशासन, खानों, तेल क्षेत्रों, प्रमुख बंदरगाहों या केंद्र सरकार द्वारा स्थापित किसी भी निगम के तहत प्रतिष्ठानों में विभिन्न अनुसूचित रोजगार में लगे श्रमिकों के लिए वैरिएबल महंगाई भत्ते को बढ़ा दिया गया है।
लगभग 1.5करोड़ श्रमिकों को मिलेगा इस भत्ते का सीधा लाभ। pic.twitter.com/TU9tazW2fX
સરકારે સ્પસ્ટ જણાવ્યું છે કે શ્રમિકોના વેરિએબલ મોંઘવારી ભથ્થામાં વધારો ઓદ્યોગિક શ્રમિકોના છૂટક મૂલ્ય સુચકાંકના સરેરાશ રેટને આધારે કરાયો છે.
આ મજૂરોને મજૂરીમાં થશે વધારો
સરકારે બાંધકામ મજૂરો, ભવન નિર્માણ, હાઉસ કિપિંગ, ચોકીદારી, કૃષિ અને ખનન સેક્ટરમાં કામ કરી રહેલા મજૂરોની ન્યુનતમ મજૂરી વધારી દીધી છે.