પાટણના ભાટસણ ગામે પથ્થરમારો થયા બાદ પોલીસ દોડી ગઈ હતી ચાંપતા બંદોબસ્ત વચ્ચે ફરી વરઘોડો યોજાયો હતો.
પાટણમાં વરઘોડા પર પથ્થરમારાનો મામલો
પોલીસના ચાંપતા બંદોબસ્ત વચ્ચે નીકળ્યો ફરી વરઘોડો
જિલ્લા પોલીસની હાજરીમાં લોકો નીકળ્યા વરરાજાની જાનમાં
પાટણ તાલુકાના ભાટસણ ગામે અનુસૂચિત પરિવારના લગ્ન પ્રસંગે વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે અમુક આવારાતત્વોએ શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો. આશરે 200 લોકોના ટોળાએ વરઘોડા પર પથ્થરમારો કરતા દેકારો બોલી ગયો હતો. આ મામલે પોલીસ દોડી જઇ મામલો શાંત પડયો હતો ત્યારબાદ પોલીસના ચાંપતા બંદોબસ્ત વચ્ચે રંગે, ચંગે, ઉમંગે વરઘોડો યોજાયો હતો.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળ્યો ફરી વરઘોડો
પાટણના ભાટસણ દલિત સમાજના વરઘોડા દરમિયાન ટોળા દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ મામલે જાણ થતા પોલીસ અધિકારીઓ સહિત જિલ્લાભરનો મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓનો સ્ટાફ ભાટસણ ગામે દોડી ગયો હતો. ગામમાં કોય અનઇચ્છનીય બનાવ બને તે માટે પોલીસે લોખંડી બંદોબસ્ત ગોઠવી દીધો હતો. ત્યારબાદ પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે અનુસૂચિત સમાજના આગેવાનોએ વરઘોડો યોજવાની તૈયારી દર્શાવી હતી. જે ને પગલે ભાટસણ ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ફરી વરઘોડો નીકળ્યો હતો. પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરી વચ્ચે ડીજે અને ઢોલ, શરણાઈના શૂર સાથે વરઘોડો નીકળ્યો હતો. તમામ જિલ્લાની પોલીસની દેખરેખ હેઠળ અનુસૂચિત પરિવારના લોકો વરરાજાની જાન લઈને નીકળ્યા હતા.
શું હતો સમગ્ર મામલો ?
પાટણના ભાટસણ ગામે અનુસૂચિત સમાજનાં યુવાનનો વરઘોડો યોજાયો હતો. ભાટસણ ગામના ઇતિહાસમાં પ્રથમ વખત અનુસૂચિત સમાજના યુવાનના લગ્નમાં વરઘોડાનું આયોજન કરાયું હતું. વરઘોડો નીકળતાં ગામનાં અન્ય સમાજના લોકોને પસંદ ન પડ્યું હતું. જેથી 200 લોકોના ટોળાએ એકઠા થઇ વરઘોડા પર પથ્થરમારો કર્યો હતો. જે ને લઈને અફરાતફરી મચી જવા પામી હતી. આ ઘટનામાં વરરાજાના સબંધી એવા ત્રણ લોકો ઘાયલ પણ થયા હતા. જેને 108 મારફતે તત્કાલીક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પથ્થરમારો ઉપરાંત હુમલાખોરોએ મંડપમાં પણ આગ લગાડી હતી. આ ઘટનાને પગલે અનુસૂચિત સમાજના લોકોમાં રોષ ફેલાયો હતો. બીજી તરફ આ ઘટનાની જાણ થતાં અનુસૂચિત સમાજના આગેવાનો ભાટસણ ગામે દોડી ગયા હતા. સ્થિતિની ગંભીરતાને પગલે પોલીસ પણ દોડી ગઈ હતી.