મહારાષ્ટ્રના વર્ધામાં આર્મી ડેપોમાં બ્લાસ્ટ થયો છે જેમાં બે લોકોના મોત અને છ લોકોને ઇજા પહોંચી છે. આ બ્લાસ્ટને લઇને આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે.
જૂના વિસ્ફટકોનો નિષ્ક્રીય કરવાની કામગીરી ચાલી રહી હતી. વર્ધાથી 18 કિમી દૂર આર્મી ડેપો આવેલ છે. મહારાષ્ટ્રના વર્ધા જિલ્લામાં આવેલ આર્મી ડેપોમાં આજે સવારે બ્લાસ્ટ થયો છે. જો કે હજુ સુધી આ બ્લાસ્ટ કેવી રીતે થયો તે અંગેની કોઇ જાણકારી પ્રાપ્ત થઇ નથી.
જો કે આ બ્લાસ્ટમાં મરનાર તેમજ ઇજાગ્રસ્તોની સંખ્યા વધે તેવી શક્યતા જોવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે આ અગાઉ પણ 2016માં આ પ્રકારનો બ્લાસ્ટ થયો હતો જેમાં 17 ભારતીય જવાનોના મોત નિપજ્યાં હતા.
પુલગાંમ સ્થિત આ ડેપોમાં 2 અધિકારી સહિત 15 જવાનોના મોત નિપજ્યાં હતા. જ્યારે અન્ય 19 લોકોને ઇજા પહોંચી હતી.
આ બ્લાસ્ટ આજે સવારે સેન્ટ્રલ એમ્યુનિશન ડેપોમાં થયો છે. જે વર્ધાના સોનેગાવ અંબાજીગાંવમાં સ્થિત છે. અંબાજીગાંવ વર્ધાથી 18 કિલોમીટર દૂર આવેલું છે. સેન્ટ્રલ એમ્યુનિશન ડેપો સૈન્ય વિસ્તાર અને હથિયાર ડેપોમાં સૌથી મોટુ માનવામાં આવે છે.
બ્લાસ્ટ બાદ ઘટના સ્થળે લોકોનાં ટોળે ટોળા ઉમટ્યા અને સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે. કોઈને પણ ડેપોની અંદર જવા દેવામાં આવતા નથી. તો સુત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ આસપાસના ગામોને પણ ખાલી કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ ડેપોમાં હથિયારો અને વિસ્ફોટકોને હટાવવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે આ બ્લાસ્ટ થયો હતો.